હવામાન વિભાગે નિવાર ચક્રવાતને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે તમિલનાડુ, પુડીચેરી અને આંધ્રપ્રદેશ પર આ વાવાઝોડાનો ખતરો વધુ હોવાની જાણકારી સામે આવી છે. હવમાન વિભાગ મુજબ બંગાળની ખાડી પર બનેલુ હળવુ પ્રેશર સાયક્લોનીક સ્ટોર્મ એટલે કે ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. જો તે વાવાઝોડામાં ફેરવાશે તો આગામી24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરીના તટો પર તેની અસર દેખાડશે અને તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાથે જ હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહી બાદ દક્ષિણ રેલ્વેએ કેટલીક ટ્રેનોને રદ્દ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. રેલ્વેએ આ જાણકારી ટ્વીટ કરીને આપી છે. જેમાં જણાવ્યું છે કે ચક્રવાતી તોફાનના કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ્દ થશે તો કેટલીક ટ્રેનોને આંશીક રીતે રદ્દ કરાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો