Haryana: આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા પ્રમુખ રામ રહીમને મળી 21 દિવસની છૂટ, રાજકીય હલચલો થઈ તેજ

ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે 25 ઓગસ્ટ 2017ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો.

Haryana: આજીવન કેદની સજા ભોગવી રહેલા ડેરા પ્રમુખ રામ રહીમને મળી 21 દિવસની છૂટ, રાજકીય હલચલો થઈ તેજ
Ram Rahim (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 1:30 PM

હરિયાણા (Haryana)માં બળાત્કાર અને મર્ડર કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદા (Dera Sacha Sauda) બાબા રામરહીમ (Ram Rahim) જેલની બહાર આવી ગયો છે. ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસની ફર્લો મળી ગઈ છે. બાબાએ પહેલા ઘણી વખત ફર્લો માટે એપ્લાય કરી હતી પણ દરેક વખતે તેમની ફર્લો રદ કરી દેવામાં આવી હતી. હાલમાં બાબા રોહતક (Rohtak)ની સુનરિયા જેલમાં બંધ છે. જણાવી દઈએ કે ફર્લો એક છુટની જેમ હોય છે, જેમાં સજા પામેલા કેદીઓને જેલમાંથી રજા મળે છે અને તેઓ નિશ્ચિત સમય માટે પોતાના ઘરે જઈ શકે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલી આ ફર્લોના ઘણા રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે.

આ પહેલા રામ રહીમને અલગ અલગ કારણોને લઈ પેરોલ તો મળી છે પણ ફર્લો પ્રથમ વખત મળી છે. તે પણ 21 દિવસ માટે. આ દરમિયાન રામ રહીમને ફર્લો આપવા અંગે ઘણી બાબતો સાથે જોડવામાં આવી રહી છે. જ્યાં રામ રહીમ પહેલીવાર સિરસા ડેરા પહોંચશે. તે જ સમયે, સિરસા ડેરામાં પણ અનુયાયીઓ જોડાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં ચૂંટણી છે અને રામ રહીમના બહાર આવવાને કારણે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે.

વર્ષ 2017માં CBI કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે 25 ઓગસ્ટ 2017ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો. 27 ઓગસ્ટે આ મામલે રોહતકની સુનારિયા જેલમાં જ CBIની કોર્ટ લગાવવામાં આવી, જેમાં રામ રહીમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી. પત્રકાર હત્યા કેસમાં રામ રહીમને પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ દિવસથી રામ રહીમ જેલમાં સજા કાપી રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડેરાના સમર્થકોની સંખ્યા લાખોમાં

ઉલ્લેખનીય છે કે પંજાબમાં 300થી વધુ ડેરા છે. તેમાંથી લગભગ 10 ડેરાના સમર્થકોની સંખ્યા લાખોમાં છે. જેમાં રાધાસ્વામી બ્યાસ, ડેરા સચ્ચા સોદા, નિરંકારી, નામધારી, દિવ્ય ચ્યોતિ જાગૃતિ સંસ્થાન, ડેરા સચખંડ બલ્લાં, ડેરા બેગોવાલના નામ મુખ્ય છે. ત્યારે પંજાબ ચૂંટણીમાં જો ડેરાના સમર્થન મળી જાય તો પાર્ટીઓને મોટો ફાયદો થઈ શકે છે. આ જ કારણ છે કે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીથી લઈ શિઅદ અધ્યક્ષ સુખબીર બાદલ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસથી ડેરા બ્યાસ અને ડેરા સચખંડ બલ્લામાં નતમસ્તક થવા પહોંચ્યા હતા. ત્યારે આ વખતે કોઈ પણ નેતા અત્યાર સુધી કોઈ ડેરા સચ્ચા સોદા ગયા નથી.

આ પણ વાંચો: Women Sport Stars: મેરી કોમથી લઈને દંગલ સુધી, મહિલા સ્પોર્ટ્સ સ્ટાર્સના જીવન પર આધારિત આ બાયોપિક અત્યંત પ્રેરણાદાયક

આ પણ વાંચો: લતા મંગેશકરે તેમના પિતાની યાદમાં બનાવી હતી હોસ્પિટલ, સ્વર કોકિલાએ બિલ્ડિંગ બનાવવા માટે એકત્ર કર્યા હતા પૈસા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">