AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં રાજપથનું નામ બદલાયું, હવે કર્તવ્યપથથી ઓળખાશે, NMDCની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, રાજપથ કહે છે કે તમે 'રાજ' માટે આવ્યા છો. પીએમએ કહ્યું કે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે અને આપણે સામ્રાજ્યવાદી નીતિઓ, પ્રતીકોનો અંત લાવવો પડશે. આથી રાજપથનું (Rajpath) નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં રાજપથનું નામ બદલાયું, હવે કર્તવ્યપથથી ઓળખાશે, NMDCની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો
Rajpath - Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2022 | 1:23 PM
Share

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) રાજપથનું (Rajpath) નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે કર્તવ્યપથથી ઓળખાશે. NDMCએ નામ બદલવાનો ઠરાવ પસાર કર્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું, આઝાદી પછી અમે સંસ્થાનવાદી માનસિકતાને આગળ ધપાવી. રાજપથ કહે છે કે તમે ‘રાજ’ માટે આવ્યા છો. પીએમએ કહ્યું કે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે અને આપણે સામ્રાજ્યવાદી નીતિઓ, પ્રતીકોનો અંત લાવવો પડશે. આથી રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.

મોદી સરકારે સોમવારે રાજપથનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. નેતાજીની પ્રતિમાંથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો રસ્તો ‘કર્તવ્યપથ; તરીકે ઓળખાશે. રાજપથની સાથે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ પણ બદલવાની તૈયારી કરી રહી છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 8 સપ્ટેમ્બરે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન કરશે. આજે એટલે કે 7 સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક મળી હતી જેમાં મોદી સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.

બ્રિટિશ કાળમાં રાજપથ કિંગ્સવે તરીકે જાણીતો હતો

ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર માર્ગ અને વિસ્તાર કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. રાજપથને અંગ્રેજોના સમયમાં કિંગ્સવે કહેવામાં આવતું હતું. વડાપ્રધાન મોદીએ આ વર્ષે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સંસ્થાનવાદી વિચારસરણી દર્શાવતા પ્રતીકોને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાને આગામી 25 વર્ષમાં 2047 સુધી તમામ લોકો તેમની ફરજો નિભાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે અને આ ભાવનાને કર્તવ્યપથ નામમાં જોઈ શકાય છે.

મોદી સરકારે અનેક રસ્તાઓના નામ બદલી નાખ્યા છે

મોદી સરકારે આ પહેલા પણ ઘણા રસ્તાઓના નામ બદલીને જન કેન્દ્રીત નામ રાખ્યાં છે. વર્ષ 2015માં રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું, જ્યાં વડાપ્રધાનનું નિવાસસ્થાન છે. વર્ષ 2015માં ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં ડેલહાઉસી રોડનું નામ બદલીને દારાશિકોહ રોડ કરવામાં આવ્યું હતું. અકબર રોડનું નામ બદલવા માટે પણ અનેક પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ હજુ સુધી અકબર રોડનુ નામ બદલવા માટેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">