AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi News: VHPનો દાવો! કુતુબ મિનાર ‘વિષ્ણુ સ્તંભ’ છે, પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું, હિન્દુઓને ટાવરમાં પૂજા કરવાની પરવાનગી આપવી જોઈએ

HIPના પ્રવક્તાએ મીડિયા એજન્સી ANIને જણાવ્યું કે, "કુતુબ મિનાર(Qutub Minar) વાસ્તવમાં 'વિષ્ણુ સ્તંભ' હતો. કારણ કે કુતુબ મિનાર 27 હિન્દુ-જૈન મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યો હતો.

Delhi News: VHPનો દાવો! કુતુબ મિનાર 'વિષ્ણુ સ્તંભ' છે, પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું, હિન્દુઓને ટાવરમાં પૂજા કરવાની પરવાનગી આપવી જોઈએ
VHP Spokesperson Vinod Bansal
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 8:21 AM
Share

Delhi News: દેશની રાજધાની દિલ્હી(Delhi)માં, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના પ્રવક્તા વિનોદ બંસલે રવિવારે દાવો કર્યો છે કે રાજધાની દિલ્હીમાં પ્રખ્યાત સ્મારક કુતુબ મિનાર ખરેખર “વિષ્ણુ સ્તંભ” હતું. તેમણે કહ્યું કે 27 હિંદુ-જૈન મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીમાંથી સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે હિંદુ સમુદાય (Hindu Community)ને હેરાન કરવા માટે બનાવવામાં આવ્યો હતો. જ્યાં VHP પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે અમે માંગ કરીએ છીએ કે તે તમામ 27 મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવે.

હકીકતમાં, VHPના પ્રવક્તાએ મીડિયા એજન્સી ANIને કહ્યું કે, “કુતુબ મિનાર વાસ્તવમાં ‘વિષ્ણુ સ્તંભ’ હતો. કારણ કે કુતુબ મિનાર 27 હિંદુ-જૈન મંદિરોને તોડીને મેળવેલી સામગ્રીમાંથી બનાવવામાં આવ્યો હતો. સુપરઇમ્પોઝ્ડ સ્ટ્રક્ચર માત્ર હિંદુ સમુદાયને ચીડાવવા માટે બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન બંસલે માંગ કરી હતી કે અગાઉ તોડી પાડવામાં આવેલા તમામ 27 મંદિરોને ફરીથી સ્થાપિત કરવા જોઈએ. તેમણે કહ્યું, “અમે માંગણી કરીએ છીએ કે ભૂતકાળમાં આ સ્થળ પર તોડી પાડવામાં આવેલ તમામ 27 મંદિરો ફરીથી બનાવવામાં આવે અને હિંદુઓને તે સ્થળે પુજા કરવા માટેની પરવાનગી આપવામાં આવે.

પૂર્વ સાંસદ તરુણ વિજયેે પણ હિંદુ ભાવનાઓનું અપમાન કરવાનો આરોપ લગાડ્યો હતો

જણાવી દઈએ કે આ પહેલા રાજ્યસભાના પૂર્વ સાંસદ તરુણ વિજયે કુતુબ મિનાર પરિસરમાં એક જગ્યાએ ભગવાન ગણેશની ઊંધી પ્રતિમા અને તેમની મૂર્તિને પિંજરામાં રાખીને હિંદુ ભાવનાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના મહાનિર્દેશકને પત્ર લખીને આ પ્રતિમાઓને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવાની માંગ કરી છે.

એએસઆઈના મહાનિર્દેશકને મોકલવામાં આવ્યા પ્રતિમાઓના ફોટા

25 માર્ચના રોજ, રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ તરુણ વિજયે એક પત્રમાં જણાવ્યું હતું કે તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન તેમને બૌદ્ધિકો, પ્રતિનિધિમંડળો તરફથી તેમના પગરખાં ઉતારીને પાંજરામાં રાખવાને બદલે ગણેશની ઊંધી મૂર્તિ રાખવાની ફરિયાદો મળી હતી. એક જગ્યાએ તે બંધારણની સમાનતા અને ન્યાયની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે. તેમણે એમ પણ લખ્યું છે કે આ પ્રતિમાઓને રાષ્ટ્રીય સંગ્રહાલયમાં સન્માન સાથે રાખી શકાય છે.

આ પણ વાંચો-PM મોદીએ કહ્યું, ખેડૂત ભાઈ-બહેનો પર દેશને ગર્વ, તેઓ સશક્ત થશે તો નવું ભારત સમૃદ્ધ થશે

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">