AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire News : દિલ્હીના ભગીરથ પેલેસ માર્કેટમાં લાગી ભીષણ આગ, 40 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

જૂની દિલ્હીના ભગીરથ પેલેસ ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. ઘટના બાદ ફાયરની 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

Fire News : દિલ્હીના ભગીરથ પેલેસ માર્કેટમાં લાગી ભીષણ આગ, 40 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Delhi Fire
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 9:18 AM
Share

જૂની દિલ્હીના ચાંદની ચોકના ભગીરથ પેલેસમાં ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ગુરુવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની 40 ગાડીઓ સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે આ માહિતી આપી હતી. તેણે કહ્યું, ‘અત્યારે સ્થિતિ બહુ સારી નથી. ફાયરની 40 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવશે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બિલ્ડિંગના મોટા ભાગને નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ આ માર્કેટમાં ઈલેક્ટ્રોનિક વર્ક કરવામાં આવે છે, તેથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે. જોકે આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. સ્થળ પર ધુમાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ જોત-જોતામાં આગ ઝડપથી લાગી હતી, જેના કારણે ઈલેક્ટ્રોનિક સામાન સળગવા લાગ્યો અને આગની લપેટમાં આવી ગયો. જેના કારણે આસપાસના લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, ભગીરથ માર્કેટ ઈલેક્ટ્રોનિક સામાન માટે પ્રખ્યાત છે.

ફાયરની 40 ગાડીઓ સ્થળ પર

આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે

અગાઉ, ફાયર વિભાગે કહ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટે કુલ 32 ફાયર એન્જિન સ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ ઓલવવા માટે રિમોટ કંટ્રોલ ફાયર ફાઈટિંગ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ આ ઘટના પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર ઓફિસર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. આગ હજુ કાબુમાં આવી શકી નથી. બે માળને નુકસાન થયું છે. કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

સાંકડી શેરીઓએ ફરીથી કર્યા તંગ

ઘટનાની માહિતી મળતાં જ 25 ફાયર ટેન્ડરો આવી પહોંચ્યા હતા, પરંતુ સાંકડી શેરીઓ અને મુખ્ય માર્ગની અંદર 300 મીટર અંદર હોવાને કારણે તેમને વાહન પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સાંકડી ગલીમાં લાગી હતી. જેના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. અકસ્માતમાં કોઈને ઈજા થયાના સમાચાર નથી.

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
g clip-path="url(#clip0_868_265)">