AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Lockdown Extension: દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન, કડક પ્રતિબંધ સાથે આવતીકાલથી મેટ્રો પણ બંધ

કેજરીવાલે કહ્યું કે વ્યાપારિઓ, મહિલાઓ, યુવાનો અને વિવિધ કેટેગરીના લોકો સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ તેમ છતાં કડક નિયમોની જરૂર છે.

Delhi Lockdown Extension: દિલ્હીમાં એક સપ્તાહ માટે લંબાવાયું લોકડાઉન, કડક પ્રતિબંધ સાથે આવતીકાલથી મેટ્રો પણ બંધ
Delhi Lockdown
| Updated on: May 09, 2021 | 12:58 PM
Share

દિલ્હીમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયા માટે લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવાને તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ આરામ કરવાનો સમય નથી આવ્યો. સીએમએ કહ્યું કે, આ વખતે લોકડાઉન વધુ કડક બનશે. આવતીકાલે સવારથી દિલ્હી મેટ્રો પણ બંધ રહેશે. એટલે કે, 17 મે સવારે 5 વાગ્યા સુધી દિલ્હીમાં લોકડાઉન રહેશે. કેજરીવાલે કહ્યું કે વ્યાપારિઓ, મહિલાઓ, યુવાનો અને વિવિધ કેટેગરીના લોકો સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ તેમ છતાં કડક નિયમોની જરૂર છે.

દરરોજ કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ કોરોનાથી થતાં મૃત્યુ આંકમાં કોઈ રાહત નથી. કોરોના વાયરસની બીજી લહેરના કારણે દિલ્હીમાં 19 એપ્રિલથી લોકડાઉન છે. અત્યાર સુધી, દિલ્હી સરકારે ત્રણ વખત લોકડાઉનમાં વધારો કર્યો છે. એક ઓનલાઇન સર્વે અનુસાર, દિલ્હીના લોકો લોકડાઉનને એક અઠવાડિયા માટે લંબાવા માંગે છે.

નવા કેસમાં ઘટાડો થયો છે

શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસને કારણે 332 લોકોનાં મોત થયાં હતાં અને 17,364 નવા કેસ નોંધાયા હતાં. આ સતત ત્રીજા દિવસે સંક્રમણ દર 25 ટકાથી નીચે રહ્યો છે. છેલ્લા છ દિવસોમાં આ પાંચમી વખત છે જ્યારે પાટનગરમાં કોરોના વાયરસના દૈનિક કેસ 20 હજારથી નીચે આવ્યા છે. સત્તાવાર આંકડા મુજબ, શુક્રવારે રાજધાનીમાં કોરોના વાયરસના 19,832, ગુરુવારે 19,133, બુધવારે 20,960 નવા કેસ નોંધાયા હતા.

સંક્રમણ દર 25 ટકા કરતા ઓછો

બુલેટિન મુજબ શનિવારે સંક્રમણ દર 23.34 ટકા હતો, જે 16 એપ્રિલ પછી સૌથી નીચો છે. તે દિવસે સંક્રમણ દર 19.7 ટકા હતો. બીજા દિવસે 17 એપ્રિલે તે 24.6 ટકા હતો. મળતી માહિતી મુજબ, રાજધાનીમાં સંક્રમણ દર શુક્રવારે 24.92 ટકા, ગુરુવારે 24.29 ટકા, બુધવારે 26.37 ટકા, મંગળવારે 26.73 ટકા અને સોમવારે 29.56 ટકા હતો.

Follow Us
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">