AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો

ડોકટરોના સંગઠને બાબા રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો
Delhi high court issues summons to yoga guru ramdev in suit by doctors over misinformation against allopathy
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 4:57 PM
Share

DELHI : એલોપેથી ( allopathy)અંગે વાંધાજનક નિવેદન આપવા બદલ દિલ્હી હાઈકોર્ટ )Delhi high court) બુધવારે યોગ ગુરુ રામદેવ (Baba Ramdev) વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. કોર્ટે બાબા રામદેવને 4 અઠવાડિયાની અંદર સોગંધનામું દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે રામદેવે નિવેદનો વિરુદ્ધ નોંધાયેલા કેસનો સામનો કરવો પડશે.

ડોકટરોના સંગઠને બાબા રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના વિવાદાસ્પદ નિવેદન સામે એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપ છે કે તેમણે એલોપેથીને ખોટી રીતે લોકોની સામે રજૂ કરી હતી.

જસ્ટિસ હરિશંકરે રામદેવના વકીલ રાજીવ નાયરને કહ્યું, “મેં બાબા રામદેવની વીડિયો ક્લિપ જોઈ છે. વિડિયો ક્લિપ જોઈને લાગે છે કે તમારા અસીલ એલોપેથી સારવાર પ્રોટોકોલની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે લોકોને સ્ટીરોઈડની સલાહ આપવાની અને હોસ્પિટલ જવાની પણ મજાક ઉડાવી છે. ક્લિપ જોઈને ચોક્કસપણે દાવો દાખલ કરવાનો મામલો છે.”

વરિષ્ઠ વકીલ નાયરે જણાવ્યું હતું કે તેમને આ કેસમાં સમન્સ જાહેર કરવા સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમણે આરોપોનો વિરોધ કર્યો હતો. નાયરે કોર્ટને વિનંતી કરી કે, “આ દાવાના ત્રણ ભાગ છે. કોરોનિલ, બદનક્ષી અને રસીકરણ સામે મૂંઝવણ. કોર્ટ માત્ર બદનક્ષીના કેસમાં જ નોટિસ આપી શકે છે.” જજે કહ્યું, “હું કોઈ આદેશ જાહેર કરી રહ્યો નથી. તમે તમારું લેખિત નિવેદન ફાઇલ કરો. કહો કે કોઈ કેસ બનતો નથી.”

ડોકટરોના સંગઠને રામદેવ પર કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે એલોપેથી વિશે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમના વિવાદાસ્પદ નિવેદન સામે એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપ છે કે તેણે એલોપેથીને ખોટી રીતે લોકોની સામે રજૂ કરી હતી.

નોંધનીય છે કે યોગ ગુરુ રામદેવના કથિત નિવેદનના કારણે દેશમાં એલોપેથીની સામે આયુર્વેદની ચર્ચા શરૂ થઈ હતી. જો કે, તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધને ટિપ્પણીને “અયોગ્ય” ગણાવી અને એક પત્ર લખ્યા પછી રામદેવે 23 મેના રોજ તેમનું નિવેદન પાછું ખેંચ્યું હતું.

આ પણ વાંચો : દિવાળી આવતા જ ફરી ગ્રીન ફટાકડાની ચર્ચા શરૂ થઇ, જાણો કેવા હોય છે આ ગ્રીન ફટાકડા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">