દેશની રાજધાની દિલ્હીમાં હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અરવિંદ કેજરીવાલની સરકારે દિલ્હીની જનતાની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્વકાંશી યોજનાઓ બહાર પાડી છે. ઘર ઘર રાશન વિતરણ યોજના એટલે કે ડોર ટુ ડોર રાશન વિતરણ યોજના (Door to door ration scheme) પણ દિલ્હી સરકારની મહત્વકાંશી યોજના પૈકીની એક છે. આ વર્ષે 19 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે ડોર-ટુ-ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરી હતી. દિલ્હી સરકાર (Delhi government) ડોર ટુ ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરવાના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.
સરકારની આ યોજનાનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાના લાભાર્થીઓને તેમના ઘરે રાશન પહોંચાડવાનો છે. રાજધાની દિલ્હીમાં 1.7 મિલિયન કાર્ડધારકો છે જેઓ હાલમાં વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈને રાશન લે છે. સરકારની દલીલ છે કે ડોર-ટુ-ડોર રાશન વિતરણની યોજનાના અમલીકરણથી લોકોનું જીવન સરળ બનશે. તેનાથી સંગ્રહખોરીને અટકાવશે અને લાભાર્થીઓને યોગ્ય માપદંડમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની વિતરણ સુનિશ્ચિત કરશે.
19 મેના રોજ, દિલ્હી હાઈકોર્ટે ડોર-ટુ-ડોર રાશન વિતરણ યોજનાને રદ્દ કરી, અવલોકન કર્યું કે યોજનાને લાગુ કરવાના નિર્ણયને માત્ર ‘કાર્યકારી’ કાર્યવાહી તરીકે ગણી શકાય નહીં કારણ કે તેમાં રાજ્યપાલ (એલજી)ની મંજૂરી સામેલ નથી છે. એટલે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ મંજૂરી સામેલ નથી. જૂનમાં, દિલ્હી સરકારે એલજીને ફાઈલ પાછી મોકલી, એવી દલીલ કરી કે યોજનાની જોગવાઈઓ NFS એક્ટ અનુસાર છે. આ સાથે, તે કેન્દ્રની ‘એક રાષ્ટ્ર, એક રાશન કાર્ડ’ યોજનાનો પણ અમલ કરશે.
દિલ્હી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ડોર-ટુ-ડોર રાશન વિતરણ પરના હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની યોજના બનાવી રહ્યું છે કારણ કે આ યોજના વંચિતોને મદદ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, “હાલની રાશન વિતરણ પ્રણાલીમાં ઘણી ખામી છે અને ઘણા લાભાર્થીઓને ગુણવત્તાની ચિંતા સિવાય વાસ્તવિક અર્થમાં રાશન મળતું નથી.” તમને જણાવી દઈએ કે દિલ્હી સરકારે સૌપ્રથમ 2018ની શરૂઆતમાં લાભાર્થીઓના ઘરે રાશન પહોંચાડવાની યોજનાની જાહેરાત કરી હતી અને તે આ અંગે કેન્દ્ર સરકાર સાથે સંઘર્ષ કરી રહી છે. જોવાનું એ રહ્યુ કે આવનારા સમયમાં દિલ્હી સરકાર આ યોજનાને ફરી લાગ કરી શકશે કે નહીં.