ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા અને AAPના 9 MLAને નોટીસ ફટકારી

Chief Secretary Anshu Prakash Case:આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા.

ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા  અને AAPના 9 MLAને નોટીસ ફટકારી
Manish Sisodia & Arvind Kejriwal File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 7:45 PM

DELHI : વર્ષ 2018માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ (Chief Secretary Anshu Prakash) પર કથિત હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હીની એક કોર્ટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય AAP ધારાસભ્યોને 2018માં તત્કાલિન દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલો કરવાના કેસમાં આરોપ મુક્ત કરવાને પડકારતી નોટિસ જાહેર કરી છે.

આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત AAPના 9 ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત અન્ય અનેક આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

1 નવેમ્બરને સોમવારે સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલ (Geetanjli Goel)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય નવ લોકોને 11 ઓગસ્ટના રોજ રાજકારણીઓને નિર્દોષ છોડી મુકવાના આદેશને પડકારતી અરજી પર નોટિસ જાહેર કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોર્ટે એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ધારાસભ્યો રાજેશ ઋષિ, નીતિન ત્યાગી, પ્રવીણ કુમાર, અજય દત્ત, સંજીવ ઝા, ઋતુરાજ ગોવિંદ, રાજેશ ગુપ્તા, મદનલાલ અને દિનેશ મોહનિયા 23 નવેમ્બર સુધીમાં તેમના જવાબ રજૂ કરે. આરોપીઓ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલને આરોપ ઘડવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો : AHMEDABAD : ફરી ધમધમશે જૂની VS હોસ્પિટલ, 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">