AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા અને AAPના 9 MLAને નોટીસ ફટકારી

Chief Secretary Anshu Prakash Case:આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા.

ચીફ સેક્રેટરી સાથે મારઝૂડના કેસમાં કોર્ટે CM કેજરીવાલ, સિસોદિયા  અને AAPના 9 MLAને નોટીસ ફટકારી
Manish Sisodia & Arvind Kejriwal File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 7:45 PM
Share

DELHI : વર્ષ 2018માં દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ અંશુ પ્રકાશ (Chief Secretary Anshu Prakash) પર કથિત હુમલાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દિલ્હીની એક કોર્ટે સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય AAP ધારાસભ્યોને 2018માં તત્કાલિન દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ પર કથિત રીતે હુમલો કરવાના કેસમાં આરોપ મુક્ત કરવાને પડકારતી નોટિસ જાહેર કરી છે.

આ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના 2 ધારાસભ્યો સામે આરોપો ઘડ્યા હતા, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત AAPના 9 ધારાસભ્યોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને AAP ધારાસભ્ય પ્રકાશ જરવાલ વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત અન્ય અનેક આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

1 નવેમ્બરને સોમવારે સુનાવણી દરમિયાન સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલ (Geetanjli Goel)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય નવ લોકોને 11 ઓગસ્ટના રોજ રાજકારણીઓને નિર્દોષ છોડી મુકવાના આદેશને પડકારતી અરજી પર નોટિસ જાહેર કરી હતી.

કોર્ટે એમ પણ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, ધારાસભ્યો રાજેશ ઋષિ, નીતિન ત્યાગી, પ્રવીણ કુમાર, અજય દત્ત, સંજીવ ઝા, ઋતુરાજ ગોવિંદ, રાજેશ ગુપ્તા, મદનલાલ અને દિનેશ મોહનિયા 23 નવેમ્બર સુધીમાં તેમના જવાબ રજૂ કરે. આરોપીઓ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને પ્રકાશ જરવાલને આરોપ ઘડવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ કહ્યું, દેશમાં 78 ટકા લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો : AHMEDABAD : ફરી ધમધમશે જૂની VS હોસ્પિટલ, 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">