સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઈમરાન ખાનને ચેતવણી, હવે જે વાત થશે તે POK પર થશે

|

Aug 18, 2019 | 9:38 AM

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ગભરાયેલા પાકિસ્તાનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચેતવણી આપી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનથી જે પણ વાત થશે તે POK પર થશે. રાજનાથ સિંહ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમને નિખાલસપણે કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો ડર છેલ્લા કેટલાક દિવસોથી લાગી રહ્યો હતો. હાલમાં સમાચાર આવ્યા […]

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઈમરાન ખાનને ચેતવણી, હવે જે વાત થશે તે POK પર થશે

Follow us on

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ગભરાયેલા પાકિસ્તાનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચેતવણી આપી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનથી જે પણ વાત થશે તે POK પર થશે.

રાજનાથ સિંહ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમને નિખાલસપણે કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો ડર છેલ્લા કેટલાક દિવસોથી લાગી રહ્યો હતો. હાલમાં સમાચાર આવ્યા હતા કે ઈમરાન ખાન સરકારને ડર લાગી રહ્યો છે કે કલમ 370ને નાબૂદ કર્યા પછી હવે ભારત POKમાં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાન પર સીધો હુમલો કરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે કલમ 370 ખત્મ થયા પછી માત્ર અમારો એક પાડોશી દેશ હેરાન છે. હવે તે દુનિયાના દેશોનો દરવાજો ખખડાવી રહ્યા છે કે અમને બચાવી લો, રાજનાથ સિંહે પુછ્યુ કે અમે શું ગુન્હો કરી દીધો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ રાજનાથ સિંહે આતંકવાદના મુદ્દા પર કહ્યું કે પાકિસ્તાનના લોકો કહે છે કે બંને દેશોની વચ્ચે વાત થવી જોઈએ. કેવી વાત પર વાત થવી જોઈએ? ક્યો મુદ્દો છે, શું વાત થવી જોઈએ? તેમને કહ્યુ કે પાકિસ્તાન સાથે વાત ત્યારે થશે જ્યારે તે તેમની જમીનથી ચાલી રહેલા આતંકવાદને ખત્મ કરશે. જો એવું નથી તો પછી પાકિસ્તાન સાથે વાત કરવાનું કોઈ કારણ નથી. રાજનાથ સિંહે કહ્યું કે જે વાતચીત થશે, હવે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર થશે બીજા કોઈ મુદ્દા પર વાત થશે નહી.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article