Deepotsav 2021: અયોધ્યા આજે 12 લાખ દીવાઓથી ઝળહળશે, બનાવાશે નવો રેકોર્ડ
Ayodhya Diwali 2021 : અયોધ્યામાં પ્રથમ વખત વર્ષ 2017માં દીપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી દર વર્ષે અયોધ્યામાં દિવાળીના પર્વે વિશાળપાયે દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે સરયૂના કિનારે નવ લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.
દર વખતની જેમ આ વખતે પણ અયોધ્યામાં ભવ્ય અને ઐતિહાસિક દિવાળીની તૈયારીઓ કરવામાં આવી છે. ભવ્ય દીપોત્સવનું પાંચમું વર્ષ ખૂબ જ ખાસ રહેવાનું છે. ખરેખર આ વખતે રામ નગરી અયોધ્યામાં કુલ 12 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવી રહ્યા છે. તેમાંથી નવ લાખ દીવાઓ સરયૂ નદીના કિનારે રામના ચરણોમાં અને ત્રણ લાખ દીવાઓ અયોધ્યાના મંદિરો અને મઠોમાં પ્રગટાવવામાં આવશે. આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ની ટીમ પણ આ અદ્ભુત ઘટનાની સાક્ષી બનશે. બુધવારે અયોધ્યામાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
સાંસ્કૃતિક કાર્યક્રમો ભગવાન રામ પર કેન્દ્રિત રહેશે શોભા યાત્રા, સરયૂના કિનારે આરતી, રામ લીલા, ભગવાન રામની અયોધ્યામાં પ્રતિકાત્મક વાપસી, તેમના તિલક, લેસર શો, સીએમ યોગી આદિત્યનાથનું ભાષણ અને અન્ય કાર્યક્રમોથી આ દિવાળીને રામનગરી અયોધ્યામાં અદ્ભુત રૂપ આપવામાં આવી રહ્યું છે.
અયોધ્યામાં પાંચ દિવસનો કાર્યક્રમ અયોધ્યામાં પ્રથમ વખત 2017માં દિવાળી પર્વે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી દર વર્ષે અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સોમવારથી અયોધ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને આયોજન શરૂ થઈ ગયા છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ, મુખ્ય કાર્યક્રમ 3 નવેમ્બરે છે, જેમાં રાજ્યના દરેક ગામમાંથી આવતા માટીના પાંચ દીવા અયોધ્યાને પ્રકાશિત કરશે. લેસર શો દ્વારા ભગવાન રામ અને માતા સીતાના જીવન સાથે જોડાયેલ રામાયણના અનેક એપિસોડ લેસર લાઇટ શો દ્વારા બતાવવામાં આવશે.
રામ કી પૈડી ખાતે લેસર શો રામાયણ, જે 500 ડ્રોનની મદદથી બતાવવામાં આવશે, તે કાર્યક્રમોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સરયુ નદીના કિનારે રામ કી પૈડી ખાતે થ્રીડી હોલોગ્રાફિક શો, 3ડી પ્રોજેક્શન મેપિંગ અને લેસર શો ખૂબ જ ખાસ હશે. અન્ય રાજ્યોના કલાકારો રામ લીલાનું મંચન કરશે.
03 નવેમ્બર, 2021 ના રોજ અયોધ્યા દીપોત્સવનો કાર્યક્રમ નીચે મુજબ છે
સાંજે 06:30 વાગ્યે 3D હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ, રામાયણ પર આધારિત ગ્રાન્ડ લેસર શોનું આયોજન પર્યટન વિભાગ દ્વારા રામ કી પૌડી ખાતે સાંજે 07:05 કલાકે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું ભાષણ સાંજે 07:20 કલાકે રાજપાલ આનંદીબહેનનું વક્તવ્ય સાંજે 07:30 વાગ્યે પર્યટન મંત્રીનુ આભાર માનતુ પ્રવચન સાંજે 07:40 વાગ્યે નયા ઘાટના મંચ પરથી પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન
આ પણ વાંચોઃ
IND vs AFG, T20 World Cup 2021: ટીમ ઇન્ડિયા માટે આજ થી કરો યા મરોનુ અભિયાન, માત્ર જીત નહી મોટુ માર્જીન પણ જરુરી
આ પણ વાંચોઃ