AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશના 12 રાજ્યોમાં થઈ શકે છે ‘અંધારું’! કોલસાની અછત હશે વીજળી સંકટનું કારણ, સરકારને અપાઈ ચેતવણી

દેશના 12 રાજ્યોમાં અંધકાર છવાઈ જવાનો ખતરો ઉભો થવા લાગ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, દેશમાં કોલસાનો સ્ટોક ઘટી રહ્યો છે. હકીકતમાં ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) એ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ઘરેલું થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાની કટોકટી ભંડાર ઘટવા તરફ દોર્યું છે.

દેશના 12 રાજ્યોમાં થઈ શકે છે 'અંધારું'! કોલસાની અછત હશે વીજળી સંકટનું કારણ, સરકારને અપાઈ ચેતવણી
પ્રતિકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 3:44 PM
Share

Energy Crisis in India: દેશના 12 રાજ્યોમાં અંધકાર છવાઈ જવાનો ખતરો (Energy Crisis in India) ઉભો થવા લાગ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે, દેશમાં કોલસાનો સ્ટોક ઘટી રહ્યો છે. હકીકતમાં ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) એ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ઘરેલું થર્મલ પાવર પ્લાન્ટ્સ માટે કોલસાની કટોકટી ભંડાર ઘટવા તરફ દોર્યું છે. તેણે 12 રાજ્યોમાં ઉર્જા સંકટની ચેતવણી આપી છે. ફેડરેશનના પ્રમુખ શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે ઉર્જા ઉત્પન્ન કરવા માટે થર્મલ પાવર યુનિટમાં આગ લગાડવા માટે કોલસાના ઓછા સ્ટોકને કારણે સંકટ વધુ વકરી શકે છે. સરકારે પણ તાજેતરમાં આ ઉર્જા સંકટનો સ્વીકાર કર્યો હતો.

શૈલેન્દ્ર દુબેએ કહ્યું, ગત વર્ષે ઓક્ટોબર બાદ ફરી એકવાર 12 રાજ્યોમાં કોલસાનું સંકટ જોવા મળી રહ્યું છે. એપ્રિલના પ્રથમ પખવાડિયામાં ઘરેલું વીજળીની માંગ મહિનાની 38 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં પાવર શોર્ટફોલ 1.1 ટકા હતો, જે આ વર્ષે એપ્રિલમાં વધીને 1.4 ટકા થયો છે. તેમણે સરકારને વિનંતી કરી કે વીજ કટોકટી ટાળવા માટે થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાના ભંડારને ફરી ભરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

તાપમાન વધવાથી વીજળીની માંગ વધશે

AIPEFએ કહ્યું કે, કોલસાની અછતને કારણે થર્મલ પાવર જનરેશનને અસર થશે. ગત વર્ષે ઓક્ટોબરમાં પણ આવું થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશમાં વીજળીની માંગ 21,000 મેગાવોટ પર પહોંચી ગઈ છે, જ્યારે ત્યાં 19,000-20,000 મેગાવોટ સપ્લાય કરવામાં આવી રહી છે. ફેડરેશનના પ્રમુખે કહ્યું, જો કે, યુપી રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ દ્વારા સંચાલિત થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની કોઈ ગંભીર કટોકટી નથી. તેમનો અનામત સ્ટોક પ્રમાણભૂત ધોરણોના માત્ર 26 ટકા છે. જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ વીજળીની માંગમાં પણ વધારો થશે જેના કારણે પરિસ્થિતિ મુશ્કેલ બની શકે છે.

સરકારે તેમને સંકટ પાછળનું કારણ જણાવ્યું

શૈલેન્દ્ર દુબેએ કહ્યું કે, આ સ્થિતિ પાછળનું કારણ મેનેજમેન્ટની દૂરંદેશીનો અભાવ છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં કોલસાની અછતને કારણે પરિચા થર્મલ પાવર સ્ટેશન બંધ કરવું પડ્યું હતું. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે કોલસાની કટોકટી માટે રૂસો-યુક્રેન યુદ્ધને કારણે આયાતી કોલસાના ભાવમાં ભારે વધારો જવાબદાર ગણાવ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું છે કે, પાવર સ્ટેશનો સુધી કોલસો લઈ જવા માટે ટ્રેનોની અછત પણ સંકટનું કારણ છે. થર્મલ પાવર સ્ટેશનોને કોલસો સપ્લાય કરવા માટે દેશમાં 453 કોચની જરૂર છે, જ્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માત્ર 379 કોચ ઉપલબ્ધ હતા.

આ પણ વાંચો: RBI Assistant Manager Recruitment: આવતીકાલે, રિઝર્વ બેંક આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, અહીં કરો અરજી

આ પણ વાંચો: IB ACIO Recruitment 2022: આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ, 7 મે સુધીમાં કરો અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">