Curfew In Khargone: 2 અને 3 મેના રોજ ખરગોનમાં સંપૂર્ણ કર્ફ્યુ રહેશે, ઈદની નમાજ ઘરે જ અદા કરવી પડશે

|

Apr 30, 2022 | 11:12 PM

એડિશનલ કલેક્ટર સુમેર સિંહે ખુલાસો કર્યો હતો કે વહીવટીતંત્ર સંજોગો અનુસાર નિર્ણયમાં ફેરફાર કરી શકે છે. અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ 2022 ના રોજ શહેરમાં કોઈ કાર્યક્રમો થશે નહીં.

Curfew In Khargone: 2 અને 3 મેના રોજ ખરગોનમાં સંપૂર્ણ કર્ફ્યુ રહેશે, ઈદની નમાજ ઘરે જ અદા કરવી પડશે
Khargone Curfew

Follow us on

મધ્યપ્રદેશના ખરગોનમાં (Khargone) 2 અને 3 મેના રોજ સંપૂર્ણ કર્ફ્યુ (Curfew) લાગુ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અધિક કલેક્ટર એસએસ મુજાલ્દાએ આ માહિતી આપી છે. રવિવાર, 1 મેના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવશે. સાથે જ તમામ દુકાનો ખોલવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. એડિશનલ કલેક્ટર સુમેર સિંહે ખુલાસો કર્યો હતો કે વહીવટીતંત્ર સંજોગો અનુસાર નિર્ણયમાં ફેરફાર કરી શકે છે. અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ 2022 ના રોજ શહેરમાં કોઈ કાર્યક્રમો થશે નહીં.

આદેશ જાહેર કરતી વખતે એડિશનલ કલેક્ટર એસ.એસ. મુજાલ્દાએ જણાવ્યું હતું કે રવિવારે તમામ સેવાઓની સાથે બેંક અને પોસ્ટ ઓફિસ પણ ખોલી શકાશે. કૃષિ બજારમાં આવતી બસો અને વાહનોની અવરજવરને પણ મુક્તિ આપવામાં આવી હતી. આ સિવાય અન્ય વાહનો પર પ્રતિબંધ રહેશે.

બીજી તરફ, અક્ષય તૃતીયા પર લગ્ન કરનારાઓને 1 મેના રોજ મુક્તિ દરમિયાન જ બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પાસ પણ આપવામાં આવશે. અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિ પર શહેરમાં કોઈ કાર્યક્રમો થશે નહીં. સાથે જ મુસ્લિમ સમુદાયના લોકોએ પણ ઘરે ઈદની નમાજ અદા કરવી પડશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાઈકોર્ટે કાફે અને રેસ્ટોરન્ટના બાંધકામ તોડી પાડવા માટે જવાબ મંગાવ્યો હતો

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે 10 એપ્રિલે રામ નવમીની શોભાયાત્રા બાદ ખરગોનમાં થયેલા રમખાણો બાદ ખરગોનમાં એક કાફે અને રેસ્ટોરન્ટના ગેરકાયદે બાંધકામને તોડી પાડવા અંગે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ખારગોન રેસ્ટોરન્ટ અને બેકરીના માલિકો દ્વારા અનુક્રમે 22 એપ્રિલ અને 28 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવેલી અલગ-અલગ રિટ પિટિશનની સુનાવણી કરતી વખતે, જુદા-જુદા ન્યાયાધીશોએ રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી છે. અરજદારોના વકીલે શનિવારે આ માહિતી આપી હતી.

અરજદારોએ લાગવ્યો આ આક્ષેપ

રેસ્ટોરન્ટના માલિક અતીક અલી અને બેકરીના માલિક અમજદ રશીદે તેમની અરજીઓમાં આક્ષેપ કર્યો છે કે ખરગોનના વહીવટીતંત્રે તેમને સુનાવણીની કોઈ તક આપતા પહેલા તેમની મિલકતો પર બુલડોઝર ચલાવવા માટે મનસ્વી અને ગેરકાયદેસર પગલાં લીધાં છે. રેસ્ટોરન્ટ માલિકની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એડિશનલ એડવોકેટ જનરલ પુષ્યમિત્ર ભાર્ગવે દલીલ કરી હતી કે આ કેસમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Weather Update: એપ્રિલમાં ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, હવામાન વિભાગે જણાવ્યું કે ક્યારે થશે વરસાદ

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલનું ટ્વિટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ વહેલી યોજાઇ શકે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article