AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજશાળા મસ્જિદ છે કે મંદિર, જ્ઞાનવાપીની જેમ જ ASI સર્વે માટે કોર્ટે કર્યો આદેશ

મધ્યપ્રદેશમાં હાઈકોર્ટની ઈન્દોર બેંચે, આજે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ છ સપ્તાહમાં ભોજશાળાનો સર્વે કરવાનો છે.

ભોજશાળા મસ્જિદ છે કે મંદિર, જ્ઞાનવાપીની જેમ જ ASI સર્વે માટે કોર્ટે કર્યો આદેશ
bhojshala
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2024 | 4:41 PM
Share

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આજે સોમવારે ધાર જિલ્લા સ્થિત ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાની અરજી ગ્રાહ્ય રાખીને આદેશ આપ્યો હતો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આગામી છ સપ્તાહની અંદર ભોજશાળા મંદિર છે કે મસ્જિદ તેનો સર્વે કરવાનો છે. હાઈકોર્ટની ઈન્દોર બેંચે, ગત 19 ફેબ્રુઆરીએ હિન્દુ ટ્રસ્ટની અરજી પર સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.

ભોજશાળા એ ASI સંરક્ષિત સ્મારક છે. જેને હિન્દુઓ વાગદેવી તરીકે ઓળખતા માતા સરસ્વતીનું મંદિર કહે છે. જ્યારે મુસ્લિમ સમુદાય તેને કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસે 2 મે 2022ના રોજ ભોજશાળામાં નમાજ અદા કરવા સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ કરી હતી કે હાઇકોર્ટે કાશીના જ્ઞાનવાપીની જેમ ધારની ભોજશાળામાં સર્વેની મંજૂરી આપી છે.

બે વર્ષ પહેલા હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ASIને વૈજ્ઞાનિક સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી, જેથી કરીને સ્પષ્ટ થઈ શકે કે ભોજશાળા ખરેખર મંદિર છે કે મસ્જિદ. અદાલતે અરજદારો દ્વારા પુરાવા તરીકે રજૂ કરાયેલા રંગીન ચિત્રોના આધારે સર્વેની મંજૂરી આપી હતી.

અરજદારોએ કોર્ટને જણાવ્યું કે સ્તંભો પર સંસ્કૃતમાં શ્લોકો લખેલા છે. તેમણે કહ્યું કે આ માતા વાગદેવીનું મંદિર છે, માતા વાગદેવીની મૂર્તિ લંડનના મ્યુઝિયમમાં છે. સ્તંભ પર લખાયેલા શ્લોક પરથી કહી શકાય કે આ ભોજશાળા એ મસ્જિદ નહી પરંતુ માતા વાગદેવીનું મંદિર હતું. જો કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચ દ્વારા આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આગામી છ સપ્તાહમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા સર્વેનો રિપોર્ટ હાઈકોર્ટની ઈન્દોર બેંચને સુપરત કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
g clip-path="url(#clip0_868_265)">