દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ

|

Oct 07, 2024 | 1:58 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, મોદી સરકાર દ્વારા કેન્દ્ર-રાજ્યના વધુ સારા સંકલનને કારણે દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવામાં આવી રહ્યો છે. અમિત શાહે દિલ્હીમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં - અમિત શાહ

Follow us on

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આજે સોમવારે ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અંતિમ પ્રહાર કરવામાં આવશે. માર્ચ 2026 સુધીમાં અમે નક્સલવાદને ખતમ કરી દઈશું.

તેમણે કહ્યું કે, જો વિકાસને છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવો હશે તો નક્સલવાદને ખતમ કરવો પડશે. LWE સામે લડવા માટે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયદો લાગુ કરવો જરૂરી છે. 30 વર્ષમાં પ્રથમ વખત ડાબેરી ઉગ્રવાદને કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 100થી ઓછી રહી છે.

Honey : વજન ઉતારવા માટે અકસીર ઈલાજ, હૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીઓ, બોડી રહેશે એકદમ ફિટ એન્ડ ફાઈન
51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો

નક્સલવાદીઓ સાથે અંતિમ તબક્કામાં લડાઈ

અમિત શાહે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. માર્ચ 2026 સુધીમાં આ દેશ દાયકાઓ જૂની નકસલવાદની સમસ્યામાંથી મુક્ત થઈ જશે. LWEની 85 ટકા કેડર તાકાત છત્તીસગઢ સુધી સીમિત રહી છે. છત્તીસગઢમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 194 નકસલવાદીઓ માર્યા ગયા છે, 801 નકસલવાદીઓએ શસ્ત્રોનો ત્યાગ કરી ચૂક્યા છે અને 742 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે હું ફરીથી નક્સલવાદીઓને અપીલ કરું છું કે તેઓ તેમના હથિયાર છોડી દે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાય. અમે રાજ્યોમાં રાજ્ય પોલીસ અને જોઈન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે નક્સલવાદી ઓપરેશન માટે12 હેલિકોપ્ટર છે જેમા 6 BSF અને 6 એરફોર્સના જવાનોને બચાવવા માટે તહેનાત છે.

‘છત્તીસગઢના મુખ્યમંત્રીને અભિનંદન’

શાહે કહ્યું કે હું છત્તીસગઢના મુખ્યમંત્રી અને તેમની ટીમને અભિનંદન આપવા માંગુ છું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં લગભગ 194 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જે યુવાનો હજુ પણ નક્સલવાદ સાથે જોડાયેલા છે તેઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં આવવા વિનંતી છે. નક્સલવાદથી કોઈને ફાયદો થવાનો નથી. સરકારી ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. સુરક્ષા સંબંધિત ખર્ચ (SRE) યોજનાના બજેટમાં લગભગ 3 ગણો વધારો થયો છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યો માટેની મુખ્ય યોજના છે.

Next Article