રાજ્યના મુખ્યપ્રધાનો સાથે PM મોદીની બેઠક બાબતે શું કહી રહ્યા છે લોકો? જુઓ વીડિયો
દેશમાં વધતા Corona વાયરસના કેસ વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશના રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે.
દેશમાં વધતા Corona વાયરસના કેસ વચ્ચે અને વેક્સીનેશનને લઈને વડાપ્રધાન મોદીએ દેશના રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી છે. જે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, તેના પર વડાપ્રધાન ફોકસ કરી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 28,903 કેસ આવ્યા છે, જે ચિંતાજનક વાત છે. આ બાબતે લોકો પોતાના મંતવ્યો જણાવતા કહે છે કે હાલમાં લોકો એવું માની રહ્યા છે કે કોરોના મહામરોઈ ખતમ થઈ ગઈ છે અને કોરોનાનો ખોફ હવે ધીમે ધીમે ઓસરતો જાય છે જેથી કોરોના ગાઈડ લાઇનનું ચુસ્તપણે પાલન થાય તે જરૂરી છે.
અન્ય એક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે કોરોના સંક્રમણ શહેરથી લઈને હવે ગામડા સુધી પહોંચ્યું છે તો શું તેને અટકાવવા માટે કોઈ પગલાં ભરવા જોઈએ કે કેમ ? જેના જવાબમાં એક શહેરીજને કહ્યું હતું કે સાવચેતીના પગલાંના નામે સરકાર જે રીતે બધુ બંધ કરે છે તે ખોટું છે. કારણે કે રાત્રે દસ વાગ્યા પછી જ કોરોના આવે છે ? દિવસ દરમ્યાન શું કોરોના જતો રહે છે ? તેવા સવાલો કરતા સરકારની કાર્યનીતિ ઉપર સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે લોકોએ સ્વયં સમજવું જોઈએ કે કોરોના સામેની લડત અત્યંત અઘરી છે માટે સાવચેતનીના પગલાં લોકોએ જાતે જ લેવા પડશે. એક નાગરિકે સીધા સરકાર ઉપર જ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે જ્યારે ચુંટણી સમયે બે રોક ટોક બધુ ચાલતું હતું તે સમયે કોરોના કોઈને હેરાન નથી કરતો પરંતુ જેવી ચુંટણી ખતમ થઈ અને બે રોક ટોક જાહેર સભાઓ અને ચુંટણી પ્રચારના લીધે કોરોના ફેલાયો છે તો તેની સજા જાનતા શું કામ ભોગવે ? રાત્રે કર્ફ્યૂ લગાડવાથી નાના રોજગાઓને બહુ મોટો ફટકો પડશે. લારી ગલ્લા વાળાઓ કે જેઓના વ્યવસાયને કોરોનાના મારથી માંડ માંડ કળ વળી છે તે હવે પાછા ભાંગી પડશે.અને રાત્રે ખાણી-પીણી વાળા નાના ધંધાર્થીઓને સૌથી વધુ માર પાડવાની શક્યતાઓ છે. અન્ય એક વેપારીએ મનપાના અધિકારીઓ પર આક્ષેપ કથા કહ્યું હતું કે 10 વાગ્યાનો નિયમ હોવા છતાં નવ વાગ્યામાં આવીને બંધ કરાવતા હતા. અને જ્યારે તેમની ખરાઈ કરવા માટે થઈને તેમના ઓળખ પત્રની માંગણી કરી તો રકઝક કરવા માંડ્યા હતા.