AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron variant : ‘અત્યાર સુધીમાં 77 દેશોમાંથી ઓમિક્રોનની થઇ એન્ટ્રી, મોટાભાગના દેશોમાં નવા વેરિઅન્ટના કેસ, WHOએ વ્યક્ત કરી આશંકા

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ એ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 77 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે અને વાસ્તવિકતા એ છે કે ઓમિક્રોન કદાચ વધુ દેશોમાં છે. તેમ છતાં તે હજુ સુધી શોધી શકાયું નથી.

Omicron variant : 'અત્યાર સુધીમાં 77 દેશોમાંથી ઓમિક્રોનની થઇ એન્ટ્રી, મોટાભાગના દેશોમાં નવા વેરિઅન્ટના કેસ,  WHOએ વ્યક્ત કરી આશંકા
Omicron variant
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 6:56 AM
Share

કોરોના વાયરસના (Corona) નવો વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 77 દેશોમાં આ વેરિઅન્ટના પહોંચવા વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે અત્યાર સુધી વિશ્વના 77 દેશોએ ઓમિક્રોન વેરિઅન્ટના કેસની પુષ્ટિ કરી છે. પરંતુ તે કહે છે કે આ વેરિઅન્ટના કેસ 77 થી વધુ દેશોમાં હોઈ શકે છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 77 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે અને વાસ્તવિકતા એ છે કે ઓમિક્રોન કદાચ વધુ દેશોમાં છે. તેમ છતાં તે હજુ સુધી શોધી શક્યું નથી. તેમણે કહ્યું કે ઓમિક્રોન જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે અગાઉના કોઈપણ વેરિઅન્ટ સાથે જોવા મળ્યો નથી.

બૂસ્ટર ડોઝ અંગે ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યું, ‘હું ફરીથી સ્પષ્ટ કરી દઉં કે ડબ્લ્યુએચઓ બૂસ્ટર ડોઝની વિરુદ્ધ નથી. અમે અસમાનતાના વિરોધમાં છીએ. અમારી મુખ્ય ચિંતા દરેક જગ્યાએ જીવન બચાવવાની છે.”તેમણે કહ્યું કે ડબ્લ્યુએચઓ ચિંતિત છે કે આવા કાર્યક્રમો કોવિડ રસીના સંગ્રહનું પુનરાવર્તન કરશે જે આપણે આ વર્ષે જોયું છે અને અસમાનતામાં વધારો કરશે.

બ્રિટનમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ અગાઉ, આજે સવાર સુધી 71 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા હતા. સમગ્ર વિશ્વમાં 8500 થી વધુ લોકો આ પ્રકારથી સંક્રમિત છે. હાલમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. આ મોત બ્રિટનમાં થયું છે. બ્રિટનમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સૌથી વધુ સંખ્યા છે. જ્યાં 3100 લોકો આ પ્રકારનો ભોગ બન્યા છે. જ્યારે યુરોપિયન દેશ ડેનમાર્કમાં 2400 થી વધુ અને નોર્વેમાં 900 થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ સિવાય દક્ષિણ આફ્રિકામાં 770 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રભાવિત થયા છે.

ભારતમાં અત્યાર સુધીમાં 61 કેસ નોંધાયા છે જો કે, પ્રારંભિક સંકેતો સૂચવે છે કે દક્ષિણ આફ્રિકામાં કેસ ઘટી રહ્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે સમગ્ર વિશ્વમાં બૂસ્ટર ડોઝ લાગુ થયા બાદ પણ લોકો ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બની રહ્યા છે. ઈઝરાયેલ, અમેરિકા જેવા દેશોમાં લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ આ બધા પછી પણ લોકો ઓમિક્રોન વેરિઅન્ટની પકડમાં આવી ગયા છે.

ઓમિક્રોનના અત્યાર સુધીમાં 61 કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં 4 નવા કેસ સામે આવ્યા છે. હવે અહીં ઓમિક્રોનના કુલ 6 દર્દીઓ છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ મળી આવ્યા છે. જેમાંથી 7 એકલા મુંબઈના છે. જો આખા દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ 28 કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 17, દિલ્હીમાં 6, ગુજરાતમાં 4, કર્ણાટકમાં 3 ઉપરાંત કેરળ, આંધ્રપ્રદેશ અને ચંદીગઢમાં 1-1 કેસ નોંધાયા છે. આ રીતે દેશના 8 રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

પાકિસ્તાનમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી ભારતમાં પહેલાથી જ ઓમિક્રોનના કેસ નોંધાયા છે. પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. સોમવારે કરાચીમાં એક દર્દી ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો હતો. આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલ (AKUH) એ જણાવ્યું હતું કે જીન સિક્વન્સિંગ દ્વારા દર્દીમાં કોરોના વાયરસનો નવો પ્રકાર જોવા મળ્યો છે.

નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (NCOC) એ ટ્વિટ કર્યું, ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ, ઇસ્લામાબાદ એ વાતની પુષ્ટિ કરવામાં સક્ષમ છે કે કરાચીમાંથી તાજેતરમાં શંકાસ્પદ નમૂના હકીકતમાં SARS-CoV2નું ‘ઓમિક્રોન વેરિઅન્ટ’ છે. આ પ્રથમ પુષ્ટિ થયેલ કેસ છે. પરંતુ કેસોને ઓળખવા માટે નમૂનાઓનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેનો ચોક્કસ દર નક્કી કરવો મુશ્કેલ છે.

આ પણ  વાંચો  :  સલમાનની ભાભી બાદ હવે ભત્રીજો પણ કોરોના પોઝિટીવ, BMCએ સીલ કરી બિલ્ડીંગ

આ પણ વાંચો : ગુજરાતીઓ મોબાઇલ ફોન રાખવામાં પણ અગ્રેસર, સર્વેમાં સામે આવી વિગતો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">