AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના રસીકરણમાં થયો ઘટાડો, 16 કરોડ અનયુઝ્ડ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે છે

5 નવેમ્બર સુધીના સમગ્ર સપ્તાહ દરમિયાન લોકોને રસીના 2.42 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, જે પાછલા સપ્તાહ (23-29 ઓક્ટોબર) ના આંકડાની તુલનામાં લગભગ અડધા (4 કરોડ) છે

Corona Vaccination: છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના રસીકરણમાં થયો ઘટાડો, 16 કરોડ અનયુઝ્ડ ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે છે
Corona Vaccine
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 8:41 AM
Share

Corona Vaccination: રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શનિવાર સવાર સુધી કોરોના રસીના લગભગ 16 કરોડ બિનઉપયોગી ડોઝ (Unused Dose of Covid19 Vaccine) હતા. આનું એક કારણ દિવાળી સપ્તાહ એટલે કે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કોવિડ રસીકરણમાં ઘટાડો પણ છે. છેલ્લા બે સપ્તાહ દરમિયાન સુધારો દર્શાવ્યા બાદ 30 ઓક્ટોબરથી રસી માટે આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

માહિતી અનુસાર, 5 નવેમ્બર સુધીના સમગ્ર સપ્તાહ દરમિયાન લોકોને રસીના 2.42 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, જે પાછલા સપ્તાહ (23-29 ઓક્ટોબર) ના આંકડાની તુલનામાં લગભગ અડધા (4 કરોડ) છે. એક અધિકારીએ જણાવ્યું કે 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધીના દિવાળી સપ્તાહને કારણે રસીકરણમાં ઘટાડો થયો છે, કારણ કે આ દરમિયાન લોકો દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત હતા. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તહેવાર પછી, રસીકરણની સંખ્યા પહેલા જેટલી જ રહેશે.

દેશમાં રસીકરણનો આંકડો 108 કરોડને પાર ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા શનિવારે 108 કરોડ ડોઝને વટાવી ગઈ છે. રસીનો પ્રથમ ડોઝ 78 ટકાથી વધુ પાત્ર વસ્તીને આપવામાં આવ્યો છે. તે જ સમયે, 18 વર્ષથી વધુ ઉંમરના 36 ટકાથી વધુ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશભરમાં કોરોનાનીબીજી લહેરની ગતિ ઘણી ધીમી પડી ગઈ છે અને સંક્રમણના કેસ પણ ઘટી રહ્યા છે. જો કે, ત્રીજી લહેરની શક્યતાઓને કારણે દેશમાં કોરોના રસીકરણ પર ઘણો ભાર છે અને દરરોજ લાખો લોકોને રસી આપવામાં આવી રહી છે.

શનિવારે 25 લાખથી વધુ લોકોએ રસી લીધી હતી સરકારનો પ્રયાસ છે કે આખી વસ્તીને વહેલી તકે રસી આપવામાં આવે, જેથી કોરોનાથી થતા નુકસાનને રોકી શકાય. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 108 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે સાંજે 7 વાગ્યાના અહેવાલ મુજબ, શનિવારે દેશમાં 25 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી રિપોર્ટ જણાવે છે કે ભારતમાં કુલ રસીકરણનો આંકડો હવે વધીને 108,18,66,715 થઈ ગયો છે.

આ પણ વાંચો: T20 World Cup 2021, Points Table: ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સેમિફાઇનલમાં, ચોથા સ્થાન માટે લડાઇ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : શું તમે જાણો છો દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ – ડીઝલ ક્યાં વેચાય છે? તમારા શહેર સહીત મહાનગરોના 1 લીટર ઇંધણના રેટ

Follow Us
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
સરકારી વાહનો હોવા છતાં ખાનગી ગાડીમાં 'EVM' કઈ રીતે પહોંચ્યા?
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
અમદાવાદની ITC નર્મદા હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળી
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હીટવેવના પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં, જુઓ વીડિયો
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
g clip-path="url(#clip0_868_265)">