AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડશે

પેક્સલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે.

Pfizer ની ગોળી Paxlovidને અમેરિકામાં મંજૂરી, 12 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાથી થતા મૃત્યુનું જોખમ ઘટાડશે
PFizer tablet ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:07 AM
Share

યુએસ એફડીએએ બુધવારે કોરોના(Corona) મહામારી સામેની લડાઈ માટે ફાઈઝરની(Pfizer)  ગોળી પેક્સલોવિડને(Paxlovid)  મંજૂરી આપી છે. હવે પેક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોનાની સારવાર દરમિયાન 12 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં ઉચ્ચ જોખમમાં થઈ શકે છે. જો કે, આ ટેબ્લેટના ગ્રીન સિગ્નલની હજુ પણ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની રાહ જોવામાં આવી રહી છે. આ પહેલી દવા છે જેનાથી નવા  સંક્રમિત દર્દીઓ હવે હોસ્પિટલમાંથી બહાર રહેવા માટે ઘરે જઈ શકશે. ફાઈઝરની પેક્સલોવિડ ટેબ્લેટનો ઉપયોગ કોરોના વાયરસ સામેની લડાઈમાં કરવામાં આવશે.

આ ગોળી કોરોના મહામારી સામે એક આશાનું કિરણ છે.  જે લાખો લોકોને સારવાર માટેની  મંજૂરી આપશે. અમેરિકાએ પેક્સલોવિડ નામની ટેબલેટ બનાવીને કોરોના સામે લડી રહેલા લોકોમાં મૃત્યુનું જોખમ ઓછું હોવાનો દાવો પણ કર્યો છે. એફડીએના વૈજ્ઞાનિક પેટ્રિઝિયા કેવાઝોનીએ કહ્યું કે, વિશ્વના ઘણા દેશોમાં  કોવિડનું સ્વરૂપ બનેલા કોરોના વાયરસની સારવાર માટે સફળતાપૂર્વક એક ટેબલેટ તૈયાર કરવામાં આવી છે.

કોરોના સામેની વૈશ્વિક લડાઈમાં આ એક ઐતિહાસિક પગલું છે. ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રેસિડેન્ટ આલ્બર્ટ બોરુલાએ જણાવ્યું કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા 2,200 લોકો પર  આ ટેબલેટનું પરીક્ષણ કર્યું અને તેમાં અણધાર્યા પરિણામો જોવા મળ્યા. ગોળીઓ મૃત્યુના જોખમને 88 ટકા સુધી ઘટાડી શકે છે.

ઓમિક્રોન સામે કારગર થશે ? ઓમિક્રોન વેરિઅન્ટવિશે હમણાં જ ખબર પડી છે. એટલા માટે કંપનીએ હજુ સુધી તેનું પરીક્ષણ કર્યું નથી. જો કે, આ દરમિયાન, નિષ્ણાતો કહે છે કે ટેબ્લેટની કાર્ય કરવાની રીત એન્ટિબોડીઝ અથવા રસીઓથી થોડી અલગ હોવાથી આ ટેબલેટ માત્ર ઓમિક્રોન જ નહીં કોરોનાના કોઈપણ પ્રકાર સામે અસરકારક રહેશે.

paxlovid ગોળીથી કોઈ જોખમ છે ? પેક્સલોવિડ ટેબ્લેટની અરજી યુએસ ડ્રગ કંટ્રોલર યુએસએફડીએની સમિતિ સમક્ષ પહોંચી હતી. સમિતિના તમામ સભ્યોએ તેના ઉપયોગની પરવાનગી આપી દીધી છે. આ સંદર્ભમાં સમિતિને સુરક્ષા સંબંધિત વધુ ખતરો જોવા મળ્યો નથી. Paxlovid Tablet પ્રોટીઝની પ્રવૃત્તિને અટકાવે છે.

પ્રોટીઝ એ એક એન્ઝાઇમ છે જે વાયરસની નકલ કરવામાં મદદ કરે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ એક અઠવાડિયામાં ઓમિક્રોનથી ચેપમાં લગભગ છ ગણો વધારો નોંધાવ્યો છે, પરંતુ દેશના મોટાભાગના ભાગોમાં ઓમિક્રોનનો વ્યાપ વધુ છે. ન્યૂ યોર્ક પ્રદેશ, દક્ષિણપૂર્વ, ઔદ્યોગિક મિડવેસ્ટ અને પેસિફિક નોર્થવેસ્ટમાં 90 ટકા જેટલા નવા કેસ માટે ઓમિક્રોન વેરિઅન્ટ જવાબદાર હોવાનું નોંધાયું છે.

આ પણ વાંચો : Omicron Variant : ઓમિક્રોન તમામ દેશોમાં ફેલાઈ જવાની આશંકા, મૃત્યુઆંક 7 લાખ સુધી પહોંચી શકે છે’, WHOએ વ્યક્ત કરી ચિંતા

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">