Corona Update: 40 કરોડ કોરોના ટેસ્ટ કરીને ભારતે નવો રેકોર્ડ બનાવ્યો, કોરોના જંગ સામે દેશનું સીમાચિન્હરૂપ કાર્ય

|

Jun 26, 2021 | 8:50 PM

Corona Update: આઈસીએમઆર(ICMR)એ કહ્યું કે દેશમાં કુલ પ્રયોગશાળાઓની સંખ્યા 2,675 પર પહોંચી ગઈ છે, જેમાં સરકારી પ્રયોગશાળાઓની સંખ્યા 1,676 છે અને ખાનગી પ્રયોગશાળાઓની સંખ્યા 999 છે.

Corona Update: 40 કરોડ કોરોના ટેસ્ટ કરીને ભારતે નવો રેકોર્ડ બનાવ્યો, કોરોના જંગ સામે દેશનું સીમાચિન્હરૂપ કાર્ય
ભારતનો કોરોના ટેસ્ટિંગ રેકોર્ડ

Follow us on

Corona Update: ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)એ શનિવારે કહ્યું હતું કે ભારતે દરરોજ સરેરાશ 18 લાખથી વધુ પરીક્ષણો સાથે જૂન મહિનામાં 400 મિલિયન કોવિડ -19 પરીક્ષણો કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. શુક્રવાર સુધીમાં ભારતે દેશભરમાં 40,18,11,892 નમૂનાઓનું પરીક્ષણ કર્યું છે. દેશમાં 1 જૂન, 2021 સુધીમાં 35 કરોડ કોવિડ -19 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ અગાઉ ભારતે ગયા વર્ષે 7 જુલાઈએ 1 કરોડ કોરોના પરીક્ષણો કર્યા હતા. આ પછી, 23 ઓક્ટોબરે 10 કરોડ, 6 ફેબ્રુઆરીએ 20 કરોડ, 6 એપ્રિલના રોજ 25 કરોડ, 8 મેએ 30 કરોડ અને 1 લી જૂને 35 કરોડના કોરોના પરીક્ષણો પૂર્ણ થયાં. આઈસીએમઆરએ કહ્યું કે શુક્રવારે દેશમાં કોરોનાવાયરસ માટે 17,45,809 નમૂનાના પરીક્ષણો કરાયા હતા. તે જ સમયે, એક નિવેદનમાં, દેશભરમાં ઝડપી પરીક્ષણ માળખાગત અને ક્ષમતામાં વધારો કરીને તેને મોટા પ્રમાણમાં મજબૂત બનાવવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ પ્રોફેસર બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે પરીક્ષણોમાં ઝડપી વધારો, કોવિડ -19 કેસની વહેલી તપાસ, તાત્કાલિક અલગતા અને અસરકારક સારવારના કારણે પણ મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

દેશમાં પ્રયોગશાળાઓની કુલ સંખ્યા 2,675

તેમણે કહ્યું કે ભારત ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેક્નોલોજીની વ્યૂહરચનાને અસરકારક રીતે લાગુ કરવામાં સફળ રહ્યું છે, જે આ કોરોના રોગચાળાના ફેલાવવાને રોકવામાં આપણને મજબુત બનાવશે. આઈસીએમઆરએ કહ્યું કે દેશમાં કુલ પ્રયોગશાળાઓની સંખ્યા 2,675 પર પહોંચી ગઈ છે, જેમાં સરકારી પ્રયોગશાળાઓની સંખ્યા 1,676 છે અને ખાનગી પ્રયોગશાળાઓની સંખ્યા 999 છે.

દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,95,565 છે

તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 48,698 નવા કેસો આવ્યા પછી, સકારાત્મક કેસોની કુલ સંખ્યા વધીને 3,01,83,143 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 1,183 નવા મૃત્યુ પછી, કુલ મૃત્યુઆંક વધીને 3,94,493 પર પહોંચી ગયો છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 64,818 નવા ડિસ્ચાર્જ બાદ, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,91,93,085 પર પહોંચી ગઈ છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 5,95,565 છે.

Published On - 3:29 pm, Sat, 26 June 21

Next Article