AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભયાનક પરિસ્થિતિ: દર 10 મિનીટમાં લગભગ 15 કોરોના દર્દીઓનું થયું મૃત્યુ, આંકડા ચોંકાવનારા

દેશમાં કોરોના કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક સ્વરૂપ લઈ રહી છે. કોરોનાની ખતરનાક સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 5 થી 6 ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મરી રહ્યા છે.

ભયાનક પરિસ્થિતિ: દર 10 મિનીટમાં લગભગ 15 કોરોના દર્દીઓનું થયું મૃત્યુ, આંકડા ચોંકાવનારા
File Image (PTI)
| Updated on: Apr 23, 2021 | 11:07 AM
Share

દેશમાં કોરોના કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક સ્વરૂપ લઈ રહી છે. દરરોજ કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલોમાં બેડ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને મોટાભાગનાં રાજ્યોમાં ઓક્સિજનની અછત અનુભવાઈ રહી છે. કોરોનાની ખતરનાક સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે 5 થી 6 ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મરી રહ્યા છે.

તે જ સમયે, હોસ્પિટલમાં બેડ મેળવતા દર્દીઓમાંના 20 ટકા દર્દીઓ 7 થી 12 કલાકમાં મરી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોનાને કારણે 2104 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જો તમે કોરોનાના આંકડા જુઓ, તો દર મિનિટે એક કરતા વધુ દર્દી કોરોનાથી મરી રહ્યા છે. આંકડા પ્રમાણે છેલ્લા એક દિવસની સરેરાસ જોવા જઈએ તો ડર 10 મિનીટમાં લગભગ 15 લોકોનું મૃત્યુ થઇ રહ્યું છે.

અહેવાલ અનુસાર છેલ્લા 15 દિવસથી દેશના જુદા જુદા રાજ્યોમાં આવી પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, અમદાવાદ, કોચી, લખનઉ, ચંદીગઢ, રાયપુર, ભોપાલ, ઇન્દોર સહિતના અનેક શહેરોમાં ઓક્સિજનની માંગમાં 40 ટકાનો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના અહેવાલ મુજબ 12 થી 21 એપ્રિલની વચ્ચે કોરોનાનું કહેર તૂટી પડ્યું છે. પરિસ્થિતિ એ છે કે હોસ્પિટલમાં બેડ મેળવ્યા પછી પણ, દરેક પાંચમો વ્યક્તિ 12 કલાકમાં મરી રહ્યો છે. જ્યારે પહેલાના અઠવાડિયામાં, પરિસ્થિતિ એવી હતી કે 25 થી 30 ટકા દર્દીઓનું મૃત્યુ 48 કલાકમાં જ થઇ રહ્યું.

મૃત્યુનું મુખ્ય કારણ ઓક્સિજનનો અભાવ

અહેવાલ અનુસાર ઓક્સિજનના અભાવને કારણે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સ્થિતિ ઝડપથી બગડી રહી છે. મૃત હાલતમાં હોસ્પિટલોમાં આવતા દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે. એનસીડીસીના અહેવાલ મુજબ ભારતમાં 40% મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના 72 કલાકની અંદર થાય છે. તે જ સમયે, દર ચારમાંથી એક મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર થાય છે.

આ પણ વાંચો: ચોરી કરેલી વેક્સિન પાછી મુકતાં ચોરે લખ્યું – ‘સોરી, ખબર ન હતી કોરોનાની વેક્સિન છે’

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">