Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો

સંસદ ભવનના 400થી વધુ સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે, 6-7 જાન્યુઆરીએ તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

Corona in Parliament House: સંસદ ભવનમાં થયો કોરોના વિસ્ફોટ, 400થી વધુ કર્મચારીને કોરોના વળગ્યો
Parliament House ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 6:53 AM

દેશમાં કોરોનાના (Corona) કેસમાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સંસદ ભવનમાં (Parliament House) મોટો કોરોના વિસ્ફોટ થયો છે. 400થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટીવ હોવાની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 6-7 જાન્યુઆરીએ દરેકનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દેશમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે. દરરોજ કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે.

બીજી તરફ ઘણા રાજ્યોમાં મંત્રીઓ અને નેતાઓ ઓમિક્રોન અને કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 1,41,986 નવા કેસ નોંધાયા છે, જ્યારે મહામારીને કારણે 285 લોકોના મોત થયા છે.

તે જ સમયે, 40,895 લોકો સાજા પણ થયા છે. દેશના 27 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 3,071 કેસ નોંધાયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,203 છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે, તેથી અમે તમામ દેશોમાંથી મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતા તમામ લોકો માટે 7 દિવસની ક્વોરેન્ટાઈન ફરજિયાત બનાવી રહ્યા છીએ. એક ખાસ એપ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવશે. તે જ સમયે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં અધિકારીઓ સાથે કોરોના પર સમીક્ષા બેઠક યોજી હતી.

મહારાષ્ટ્રમાં 41,434 નવા કેસ

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 41,434 નવા કેસ નોંધાયા છે, 9,671 લોકોને રજા આપવામાં આવી છે અને કોરોનાને કારણે 13 લોકોના મોત થયા છે. અહીં એક્ટિવ કેસોની સંખ્યા 1,73,238 છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રોનના 133 નવા કેસ સામે આવ્યા છે.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 1,009 કેસ નોંધાયા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં 10 જાન્યુઆરીથી નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવશે, રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે. એક સાથે પાંચ કે તેથી વધુ લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, બ્યુટી સલૂન, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ રહેશે.

દિલ્હીમાં 20,181 નવા કેસ

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,181 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 11,869 લોકોને રજા આપવામાં આવી હતી અને 7 લોકોના મોત થયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 48,178 છે. દૈનિક પોઝિટિવિટી દર 20 ટકાની નજીક પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 25,143 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : શું તમે જાણો છો સિંદૂરના આ ફાયદા? ભયનો નાશ કરી શુભ ફળની પ્રાપ્તિ કરાવશે સિંદૂર

આ પણ વાંચો : પ્રિકોશન ડોઝ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા CoWIN પર થઈ શરૂ, 10 જાન્યુઆરીથી લગાવવામાં આવશે વેક્સીન

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">