દેશભરમાં કોરોના વાયરસના (Corona Virus) 31,382 નવા કેસ નોંધાયા છે, આ સાથે દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,35,94,803 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન, કોરોનાના 318 દર્દીઓના મૃત્યુ થયા છે. જેના કારણે દેશમાં કોરોનાના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4,46,368 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3,00,162 લાખ પર આવી ગયા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 15,65,696 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઇકાલ સુધી કુલ 55,99,32,709 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
भारत में कल कोरोना वायरस के लिए 15,65,696 सैंपल टेस्ट किए गए, कल तक कुल 55,99,32,709 सैंपल टेस्ट किए जा चुके हैं: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19 pic.twitter.com/BTW6d5Qn7O
— ANI_HindiNews (@AHindinews) September 24, 2021
આરોગ્ય મંત્રાલયે (Health Ministry) જાહેર કરેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 32,542 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેની સાથે જ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,28,48,273 થઈ ગઈ છે. તો બીજીબાજુ કોરોનાના એકટીવ કેસની (Active case) સંખ્યા હાલ 3,00,162 થઈ છે.
કેરળમાં (Kerala) 19,682 કોરોના કેસ નોંધાયા હતા અને 152 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. કેરળ રાજ્યમાં દરરોજ 15 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
પાઇપલાઇનમાં 86 લાખ કોરોના ડોઝ છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 81.39 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. લગભગ 86 લાખ ડોઝ પાઇપલાઇનમાં છે. 4.23 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 84,15,18,026 કોરોના રસી આપવામાં આવી છે. ગઈકાલ સુધી કુલ 55,99,32,709 કોરોનાના નમુનાની ચકાસણી કરવામાં આવી છે.
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/swSA21BH1j
— Ministry of Health (@MoHFW_INDIA) September 23, 2021
કોરોના સંબંધિત ડેટા પર એક નજર
કુલ કેસ: 3,35,94,803
એક્ટિવ કેસ: 3,00,162
સાજા થયેલા દર્દી: 3,28,48,273
કુલ મૃત્યુ: 4,46,368
કુલ રસીકરણ: 84,15,18,026