AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલ દલિતોને અનામતનો લાભ નહી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ

કેન્દ્ર સરકારે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોને અનુસૂચિત જાતિની સૂચિમાંથી બહાર રાખવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે ડેટા દર્શાવે છે કે આ ધર્મોમાં કોઈ જાતિ ભેદભાવ નથી

ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલ દલિતોને અનામતનો લાભ નહી, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો જવાબ
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 7:37 AM
Share

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને ભેદભાવના કારણે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોની સ્થિતિ બાબતે સ્પષ્ટ કરતાં કહ્યું છે કે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્રએ આ એફિડેવિટ દાખલ કરી છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે તેના સોગંદનામામાં કહ્યું છે કે ધર્મ પરિવર્તન કરનારા દલિતો માટે સમાન સ્તરનું પછાતપણું હોવાનું કોઈ મૂલ્યાંકન નથી. આમ પણ, સંબંધિત રાજ્ય સરકારો અન્ય પછાત વર્ગો હેઠળ આવા વર્ગને સુવિધાઓ આપે છે. આથી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને ભેદભાવના કારણે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશને અરજી દાખલ કરી છે

કેન્દ્ર સરકારે આ એફિડેવિટ એક NGO, સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટીગેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. એનજીઓએ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારા દલિત જૂથો માટે અનામત અને અન્ય સુવિધાઓની માંગ કરી છે. જ્યારે અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલા ઘણા સંગઠનોએ આવી માંગનો વિરોધ કર્યો છે, જેમાં ભેદભાવના કારણે હિંદુ ધર્મ છોડીને મુસ્લિમ અથવા ખ્રિસ્તી બની ગયેલા દલિતો માટે અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંગઠનોનું કહેવું છે કે આવા લોકો ધર્મ બદલીને અસ્પૃશ્યતા અને અત્યાચારના ક્ષેત્રમાંથી બહાર આવ્યા છે. તેથી તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

આ ધર્મોમાં જાતિના આધારે કોઈ ભેદભાવ નથી

કેન્દ્ર સરકારે દલિત ખ્રિસ્તીઓ અને દલિત મુસ્લિમોને અનુસૂચિત જાતિની સૂચિમાંથી બહાર રાખવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું છે કે ડેટા દર્શાવે છે કે આ ધર્મોમાં કોઈ જાતિ ભેદભાવ નથી. તેમ જ એ ધર્મોમાં અત્યાચાર નથી. આવી સ્થિતિમાં, ધર્માંતરિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમો તે લાભોનો દાવો કરી શકતા નથી જેના માટે અનુસૂચિત જાતિઓ હકદાર છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી.

સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">