AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અને ‘નેહરુ’ પર ટિપ્પણીથી કોંગ્રેસ નારાજ, કહ્યું- હિપોક્રેસી ઝિંદાબાદ

પીએમ મોદીના (PM Modi) આ ટ્વીટને રીટ્વીટ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેને હિપોક્રેસી ગણાવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હિપોક્રેસી ઝિંદાબાદ!

કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા' અભિયાન અને 'નેહરુ' પર ટિપ્પણીથી કોંગ્રેસ નારાજ, કહ્યું- હિપોક્રેસી ઝિંદાબાદ
PM Narendra ModiImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 3:01 PM
Share

ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠને ઐતિહાસિક બનાવવા માટે સરકારે ગયા વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની શરૂઆત કરી હતી. આઝાદીના આ પર્વની ગરિમાને વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) આજથી ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનની શરૂઆત કરી છે. તેમણે ટ્વિટર પર તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવાની માહિતી પણ શેર કરી હતી. પરંતુ સરકારના આ પગલાથી કોંગ્રેસ નારાજ જોવા મળી રહી છે. પાર્ટીએ પીએમ મોદીના તિરંગા સાથે જોડાયેલા ઐતિહાસિક તથ્યો અને નેહરુ પરની ટિપ્પણીને દંભી ગણાવી છે.

‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, આ અભિયાન તિરંગા સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે. આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટની વચ્ચે તેઓ પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને મજબૂત કરવાનો પ્રયાસ કરે.

પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ‘આજે આપણે તે બધાની હિંમત અને પ્રયત્નોને યાદ કરીએ છીએ જેમણે તે સમયે સ્વતંત્ર ભારત માટે ધ્વજનું સ્વપ્ન જોયું હતું, જ્યારે આપણે સંસ્થાનવાદી શાસન સામે લડતા હતા. અમે તેમના સપનાઓને સાકાર કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.

કોંગ્રેસે સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

પીએમ મોદીએ કહ્યું, આ વર્ષે જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો હર ઘર પર તિરંગા ચળવળને મજબૂત કરીએ. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તમારા ઘરોમાં તિરંગો ફરકાવો. આ અભિયાન રાષ્ટ્રધ્વજ સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે. તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લહેરાવેલા પ્રથમ તિરંગાની તસવીર પણ ટ્વીટ કરી હતી. આ અંગે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

જયરામ રમેશે પીએમ મોદી પર પ્રહારો કર્યા

પીએમ મોદીના આ ટ્વીટને રીટ્વીટ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે તેને હિપોક્રેસી ગણાવી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું, હિપોક્રેસી ઝિંદાબાદ! તેઓ (PM મોદી) ખાદીમાંથી રાષ્ટ્રધ્વજ બનાવનારાઓની આજીવિકા ખતમ કરી રહ્યા છે, જેને નેહરુજીએ ભારતની આઝાદીનો પોશાક ગણાવ્યો હતો. જેને નાગપુરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા 52 વર્ષ લાગ્યા હતા.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">