કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 50 ટકા ટિકિટ આપશે, નિવૃત્તિની વય મર્યાદા પણ નક્કી કરશે

|

May 15, 2022 | 7:51 PM

ચિંતન શિબિરના અંતિમ દિવસે પાર્ટીના નેતાઓને સંબોધિત કરતી વખતે, સોનિયા ગાંધીએ (Sonia Gandhi) કહ્યું કે સમિતિઓની ભલામણો પર ઝડપથી કામ કરવામાં આવશે.

કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 50 ટકા ટિકિટ આપશે, નિવૃત્તિની વય મર્યાદા પણ નક્કી કરશે
Sonia Gandhi And Rahul Gandhi - Congress Chintan Shivir

Follow us on

આગામી દિવસોમાં કોંગ્રેસ (Congress) તેના સાંસદો, ધારાસભ્યો અને સરકારમાં ચૂંટાયેલા હોદ્દા ધરાવતા નેતાઓ માટે નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરશે. પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 50 ટકા ટિકિટ આપશે. કોંગ્રેસના ચિંતન શિબિર (Congress Chintan Shivir) માટે રચાયેલી યુવા બાબતોની સંકલન સમિતિની ભલામણોમાં આ બાબતો મુખ્ય છે, જેને પાર્ટીના ‘નવ સંકલ્પ’માં સ્થાન મળ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સંગઠન સ્તરે 50 ટકા પોસ્ટ 50 વર્ષથી ઓછી ઉંમરના સાથીદારોને આપવામાં આવે. સંસદ, વિધાનસભા, વિધાન પરિષદ અને તમામ ચૂંટાયેલા પદોમાં નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરવી જોઈએ.

ભવિષ્યમાં, પાર્ટીની સરકારોમાં તમામ પદો 50 ટકા લોકો 50 વર્ષથી ઓછી ઉંમરના હોવા જોઈએ. પાર્ટીના સંગઠનની મજબૂતી માટે તેનાથી ઉપરના અનુભવી લોકોનો લાભ લેવો જોઈએ. કોંગ્રેસે પોતાના નવા ઠરાવમાં એમ પણ કહ્યું છે કે, 2024ની સંસદીય લોકસભાની ચૂંટણીઓથી શરૂ કરીને, તે પછીની તમામ ચૂંટણીઓમાં ઓછામાં ઓછી 50 ટકા ટિકિટ 50 વર્ષથી ઓછી ઉંમરના સાથીદારોને આપવી જોઈએ.

‘રોજગાર દો પદયાત્રા’ની પણ દરખાસ્ત

નવા ઠરાવ મુજબ, ભાજપ દ્વારા નિર્મિત બેરોજગારીના કલંક સામે લડવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘રોજગાર દો પદયાત્રા’નો પ્રસ્તાવ છે, જે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર 15 ઓગસ્ટ, 2022થી શરૂ થશે. પાર્ટીએ કહ્યું, શાળાઓમાં લાગુ કરાયેલા શિક્ષણ અધિકાર કાયદાની તર્જ પર, ગરીબ વિદ્યાર્થીઓ માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં મફત શિક્ષણની જોગવાઈ હોવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કેન્દ્ર સરકારે ગરીબો અને અમીરોના બાળકો વચ્ચે સર્જાયેલી અણધારી ડિજિટલ ગેપનો કાયમી ઉકેલ લાવવો જોઈએ અને પ્રાંતોને મદદ કરવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તમામ સરકારી વિભાગો, ભારત સરકારના ઉપક્રમો અને ત્રણેય સેવાઓમાં ખાલી પડેલી જગ્યાઓ આગામી છ મહિનામાં ‘ખાસ ભરતી ડ્રાઈવ’ ચલાવીને ભરવામાં આવે.

‘ભારત જોડો યાત્રા’ અભિયાન દેશભરમાં ચલાવવામાં આવશે

ચિંતન શિબિરના અંતિમ દિવસે પાર્ટીના નેતાઓને સંબોધિત કરતી વખતે, સોનિયા ગાંધીએ કહ્યું કે સમિતિઓની ભલામણો પર ઝડપથી કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર)ના અવસર પર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ‘ભારત જોડો યાત્રા’ નામનું અભિયાન દેશભરમાં ચલાવવામાં આવશે. સોનિયાએ કહ્યું કે કોંગ્રેસના યુવા કાર્યકરોથી લઈને મારા જેવા વરિષ્ઠ નેતાઓ પણ આ યાત્રામાં ભાગ લેશે. આ યાત્રા લોકોમાં સામાજિક સમરસતા વધારવા અને બંધારણની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘અમે જીતીશું, અમે જીતીશું – આ અમારો સંકલ્પ છે.’

Next Article