Christmas 2021: નાતાલની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું- જીસસ ક્રાઈસ્ટના આદર્શોને જીવનમાં અપનાવો

|

Dec 24, 2021 | 8:46 PM

ખ્રિસ્તી ધર્મમાં માનનારાઓ માટે નાતાલનો તહેવાર સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. દરેક વ્યક્તિ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે

Christmas 2021: નાતાલની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશવાસીઓને આપી શુભેચ્છા, કહ્યું- જીસસ ક્રાઈસ્ટના આદર્શોને જીવનમાં અપનાવો
President Ramnath Kovind- File Photo

Follow us on

Christmas 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ram Nath Kovind) દેશવાસીઓને નાતાલની પૂર્વ સંધ્યાએ (the eve of Christmas) શુભેચ્છા પાઠવી છે. તેમના અભિનંદન સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નાતાલના શુભ અવસર પર હું દેશવાસીઓને, ખાસ કરીને મારા ખ્રિસ્તી ભાઈ-બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસરે આપણે સૌ આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તના આદર્શો અને ઉપદેશોને અપનાવીને ન્યાય અને સંવાદિતાના મૂલ્યો પર આધારિત સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ.

ખ્રિસ્તી ધર્મમાં માનનારાઓ માટે નાતાલનો તહેવાર સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. દરેક વ્યક્તિ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે, ખ્રિસ્તી ધર્મના લોકો તેમના ઘર અને ચર્ચને ખાસ શણગારે છે, કારણ કે એવું કહેવાય છે કે ભગવાન ઇસુ ખ્રિસ્તને તેનાથી પ્રસન્ન થાય છે. આટલું જ નહીં, ક્રિસમસના દિવસે દરેક ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવવાની પરંપરા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નાતાલના દિવસે રાત્રે 12 વાગ્યે ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે
આ દિવસે ઇસુને પ્રાર્થના કરવી જરૂરી છે, તે ચર્ચમાં અથવા ઘરે જ કરવાની હોય છે. આ દિવસે લોકો ઈસુની યાદમાં મીણબત્તીઓ પ્રગટાવે છે. માન્યતા અનુસાર, તે તેમના જીવનમાં પ્રકાશ અને પ્રગતિ લાવે છે. નાતાલના દિવસે રાત્રે 12 વાગ્યે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાઓ યોજવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમયે ઇસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ક્રિસમસના દિવસે કેક કાપવાની એક ખાસ પરંપરા પણ છે અને આ જ કારણ છે કે ઘરોમાં વાનગીઓ પણ બનાવવામાં આવે છે.

જીસસના જન્મની ખુશીમાં કેક કાપીને લોકોમાં વહેંચવાનો  રિવાજ છે. આ ખાસ દિવસે, દરેકના ઘરોમાં ઈસુના જન્મ  એક ઝાંખી સજાવવાની પરંપરા પણ છે, આટલું જ નહીં, ક્રિસમસ ટ્રીને સજાવવું પણ આ દિવસની વિશેષ પરંપરામાં સામેલ માનવામાં આવે છે. કૃત્રિમ અથવા ફર્ન ટ્રીને ક્રિસમસ ટ્રી તરીકે જુદી જુદી રીતે લોકો સજાવે છે. તેમાં રહેલી રંગબેરંગી લાઈટો અને ગિફ્ટ જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરે છે.

આ પણ વાંચો: લગ્ન કરવા અને બાળકો કરવા બદલ ચીન આપશે 23.5 લાખ રૂપિયા, જાણો કારણ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પતિએ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા

Next Article