અક્ષય તૃતીયાના (Akshaya Tritiya 2022) શુભ અવસર પર આજથી ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. દર વર્ષની જેમ આ વખતે પણ દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન (Char Dham Yatra 2022) કરવા પહોંચશે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા આજે એટલે કે 3જી મેના રોજ ખુલશે. કેદારનાથ મંદિરના દરવાજા 6 મેના રોજ ખુલશે અને બદ્રીનાથ મંદિરના દરવાજા 8 મેના રોજ ખુલશે. કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે મુસાફરોની સુવિધા માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે દર્શન કરી શકે તેવા ભક્તોની સંખ્યા મર્યાદિત કરી છે. નોંધણી વિના ભક્તોને પ્રવેશ મળશે નહીં. જો તમારો પણ ચાર ધામ યાત્રા પર જવાનો પ્લાન છે તો અહીંયા યાત્રા સાથે જોડાયેલી સંપૂર્ણ વિગતો જાણી લો જેથી તમારી યાત્રા સુખદ રહે.
તમને જણાવી દઈએ કે સરકારે કોરોનાને કારણે ભક્તોની સંખ્યા મર્યાદિત કરી છે. દરરોજ માત્ર 15,000 તીર્થયાત્રીઓ બદ્રીનાથ, કેદારનાથમાં 12,000, ગંગોત્રીમાં 7,000 અને યમુનોત્રીમાં 4,000 યાત્રાળુઓ જઈ શકશે. આ વ્યવસ્થા આગામી 45 દિવસ સુધી અમલમાં રહેશે.
યાત્રાળુઓની મુસાફરીને સરળ બનાવવા માટે સરકારે કોરોના ટેસ્ટ અને રસીકરણનું પ્રમાણપત્ર ફરજિયાત રાખ્યું નથી.
ચાર ધામ યાત્રા પર જતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તમે registrationandtouristcare.uk.gov.in પર ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા માટે તમારી રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન પછી, તમારે QR કોડ સાથે મુસાફરી રજીસ્ટ્રેશન જનરેટ કરવી પડશે. તેનું વેરિફિકેશન ધામ ખાતે કરવામાં આવશે.
જો તમે ઓનલાઈન નોંધણી કરાવી શકતા નથી, તો ઉત્તરાખંડ સરકાર દ્વારા હરિદ્વાર, દેહરાદૂન, ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લામાં 24 નોંધણી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં તમે નોંધણી કરાવી શકો છો. ઑફલાઇન નોંધણી કરાવનારાઓને હાઇટેક રિસ્ટબેન્ડ આપવામાં આવશે.
જો તમે તમારી કાર દ્વારા ચાર ધામ યાત્રા પર જવા માંગો છો, તો તમારે વાહનની ફિટનેસ ચેક કરાવવી પડશે. ઉત્તરાખંડ સરકારે મુસાફરો માટે રહેવા, ભોજન અને પાર્કિંગની વ્યવસ્થા કરી છે.
જો તમે નોંધણી વગર જશો તો મંદિરમાં પ્રવેશ નહીં મળે. ફીઝીકલ રૂપથી માત્ર કાંડા પર બાંધવામાં આવેલા બેંડ પર QR Code ની સ્કેનિંગના માધ્યમથી દર્શન કરી શકાશે. તે જ સમયે જેઓ ઓનલાઈન નોંધણી કરાવે છે તેઓ મોબાઈલ એપ અથવા યાત્રા રજીસ્ટ્રેશન લેટર ડાઉનલોડ કરીને મુલાકાત લઈ શકશે.
ફાટા, સિરસી અને ગુપ્તકાશી બેઝથી કેદારનાથ ધામ સુધી હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરવામાં આવી છે. તેનું બુકિંગ 6 મેથી 5 જૂન સુધી કરવામાં આવશે. ચાર ધામ મંદિરો માટે ઓનલાઈન નોંધણી કરાવનારા લગભગ 3 લાખ ભક્તોમાંથી 90,000 એકલા કેદારનાથ માટે છે.
ચાર ધામો સમુદ્ર સપાટીથી ખૂબ ઊંચાઈએ આવેલા છે. તેથી ચાર ધામની યાત્રા પર જતા પહેલા કેટલીક વસ્તુઓ તમારી સાથે રાખો. ઠંડીને કારણે ગરમ કપડાં રાખો. પહાડી વિસ્તારોમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં ચોક્કસપણે તમારી સાથે છત્રી અથવા રેઇન કોટ લો. ખડકાળ રસ્તાઓ પર ચાલવા માટે સારા ટ્રેકિંગ અથવા સ્પોર્ટ્સ શૂઝ સાથે રાખો. તમારી સાથે પાણીની બોટલ પણ રાખો. જો તમને શ્વસન સંબંધી રોગ હોય તો તમારી સાથે ઓક્સિજન સિલિન્ડર રાખવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો : નબીપુર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ ક્ષતિગ્રસ્ત થતા 2 કલાક રેલ વ્યવહાર ખોરવાયો, 8 ટ્રેન મોડી પડી 2 રદ કરાઈ
Published On - 7:07 pm, Tue, 3 May 22