ભારત ચંદ્ર પર પગ મુકવા માટે સતત પ્રયત્નો કરી રહ્યું છે. આવનારા દિવસોમાં ભારત એ પણ કહી શકશે કે, ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક છે કારણ કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની તૈયારીના અંતિમ તબક્કામાં છે. અવકાશયાન યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે પેલોડની અંતિમ એસેમ્બલીમાં છે. ચંદ્રયાન-3 મિશન લૂનાર રેજોલિથ, લૂનાર સીસમિસિટી, ચંદ્રની સપાટીના પ્લાઝ્મા પર્યાવરણ અને ઉતરાણ સ્થળની આસપાસના તત્વોના થર્મો-ફિઝિકલ ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે સાઈન્ટિફિક ઈન્સ્ટ્રુમેન્ટ લઈ જશે.
આ પણ વાંચો : ચંદ્રયાન-3ને લઈને ઈસરોએ આપ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અવકાશમાં જશે?
ઈન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર આ અવકાશયાન જુલાઈમાં લોન્ચ થવા જઈ રહ્યું છે. એક સિનિયર અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે ચંદ્રયાન-3 જુલાઈના પહેલા કે બીજા સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. જો કે તેની છેલ્લી તારીખ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ વર્ષે માર્ચ મહિનામાં જ ચંદ્રયાન-3 અવકાશયાનએ જરૂરી પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું.
ચંદ્રયાન મિશનનું ત્રીજું અવકાશયાન ભારતના સૌથી ભારે પ્રક્ષેપણ વ્હિકલ માર્ક-3 થી શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. તેને GSLV Mk 3 પણ કહેવામાં આવે છે. અવકાશયાનમાં ત્રણ સિસ્ટમ ઉમેરવામાં આવી છે, જેમાં પ્રોપુલેશન, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ઈસરોના વડા એસ સોમનાથે તાજેતરમાં કહ્યું હતું કે, ચંદ્રયાન-3નો પહેલો ઉદ્દેશ્ય ચોક્કસ લેન્ડિંગ કરવાનો છે. આ માટે આજે ઘણું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં નવા સાધનો બનાવવા, વધુ સારા અલ્ગોરિધમ્સ બનાવવા, નિષ્ફળતા મોડ્સની કાળજી લેવાનો સમાવેશ થાય છે.
ISRO એ CE-20 ક્રાયોજેનિક એન્જિનનું ફ્લાઇટ acceptance hot test પૂર્ણ કર્યું છે. જે ચંદ્રયાન-3 પ્રક્ષેપણ વાહનના ક્રાયોજેનિક ઉપલા તબક્કાને શક્તિ આપશે. તમિલનાડુના મહેન્દ્રગિરી ખાતે ISRO પ્રોપુલેશન કોમ્પ્લેક્સની હાઇ એલ્ટિટ્યુડ ટેસ્ટ ફેસિલિટી ખાતે 25 સેકન્ડના આયોજિત સમયગાળા માટે હોટ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ચંદ્રયાન-3 લેન્ડરનું પણ સફળતાપૂર્વક યુ આર રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે EMI/EMC પરીક્ષણ કરવામાં આવ્યું હતું.