AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં આવશે ગતિ, હવે મળશે મંદિર માટે જરૂરી પથ્થરો

ભારત સરકારની મંજૂરી સાથે બંશી પહાડપુર (Banshi Pahadpur) માં માઇનિંગ બ્લોક્સની હરાજીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે.બંસી પહાડપુર ખાણકામ વિસ્તારને ગયા વર્ષે માર્ચમાં વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં આવશે ગતિ, હવે મળશે મંદિર માટે જરૂરી પથ્થરો
FILE PHOTO
| Updated on: Jun 14, 2021 | 5:48 PM
Share

કેન્દ્ર સરકારે રાજસ્થાનના ભરતપુરમાં બંસી પહાડપુર પથ્થરોની ખાણોના ખોદકામની મંજુરી આપતા અયોધ્યામાં Ram Mandir ના નિર્માણમાં ગતિ આવશે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું પરિવર્તન મંત્રાલયે ભરતપુરના બંશી પહાડપુર (Banshi Pahadpur) માં રેતી અને પથ્થરના ખોદકામ માટે વન જમીનના પરિવર્તન માટે પ્રથમ સ્તરની મંજૂરી આપી દીધી છે. કાયદેસર ખોદકામના આ નિર્ણયથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે માર્ગ મોકળો થશે.

કેન્દ્ર સરકારે આપી માઈનીંગની મંજુરી ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે માહિતી આપી હતી કે ભારત સરકારની મંજૂરી સાથે બંશી પહાડપુર (Banshi Pahadpur) માં માઇનિંગ બ્લોક્સની હરાજીનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ કાયદેસર ખાણકામ દ્વારા અયોધ્યામાં બની રહેલા રામ મંદિર (Ram Mandir) માટે રેતીનો પથ્થર ઉપલબ્ધ કરશે. અગ્રવાલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન અશોક ગેહલોતના અથાક પ્રયત્નોને લીધે બંસી પહાડપુર ખાણકામ વિસ્તારને ગયા વર્ષે માર્ચમાં વન્યપ્રાણી અભ્યારણ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

દેશભરમાં બંશી પહાડપુરના પથ્થરોની માંગ દેશભરમાં બંશી પહાડપુર (Banshi Pahadpur) ના ગુલાબી અને લાલ પથ્થરની માંગને ધ્યાનમાં રાખીને, મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગેરકાયદેસર માઇનિંગને રોકવા અને કાયદેસર માઇનિંગને મંજૂરી આપવા તમામ શક્ય પ્રયત્નો કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે બંશી પહાડપુરના પથ્થરની રામ મંદિર નિર્માણની માંગ હોવાથી રાજ્ય સરકાર માટે આ બાબત સંવેદનશીલ છે.

70 માઈનીંગ બ્લોક્સની ઇ-હરાજી ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે માહિતી આપી હતી કે રાજ્ય સરકારના પ્રયત્નોથી બંશી પહાડપુર (Banshi Pahadpur) વિસ્તારના 398 હેક્ટર વિસ્તારના ડાયવર્ઝન માટે પ્રથમ સ્તરની પરવાનગી બે દિવસ પહેલા 11 જૂન પર કેન્દ્રીય વન, પર્યાવરણ અને જળવાયું મંત્રાલયે જાહેર કરેલા આદેશમાં આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં માઈનીંગ બ્લોક્સ હરાજી માટે તૈયાર કરવામાં આવશે અને ઇ-હરાજી દ્વારા તેમની હરાજી કરવામાં આવશે. આશરે અંદાજ મુજબ આ વિસ્તારમાં લગભગ 70 બ્લોક્સ વિકસિત થવાની સંભાવના છે.

રાજસ્થાન સરકારને થશે 500 કરોડની આવક ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુબોધ અગ્રવાલે જણાવ્યું હતું કે વિભાગે સીમાંકન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી ઇ-ઓક્શન વહેલી તકે પારદર્શક રીતે ભારત સરકારના ઇ-પોર્ટલ દ્વારા થઈ હરાજી શકે. બંશી પહરપુરમાં ઈ-ઓક્શનથી માઇનિંગ લીઝ આપ્યા બાદ રાજ્ય સરકારને આશરે 500 કરોડની આવક થવાની સંભાવના છે.

આ પણ વાંચો : બિહારમાં LJP ના પાંચ સાંસદોએ પાર્ટીના અધ્યક્ષ બદલી નાંખ્યા, અધ્યક્ષ ચિરાગ પાસવાનની જ હકાલપટ્ટી

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">