CBSE Exam : ધો-12ની પરીક્ષા અંગે 1લી જૂને નિર્ણય લેવાશે, પરીક્ષા યોજવા બાબતે વિકલ્પો રજુ કરાયા

|

May 23, 2021 | 6:48 PM

CBSE ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાઇ શકે છે. રવિવારે આ મુદ્દે કેન્દ્રિય શિક્ષણ પ્રધાને ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.

CBSE Exam : ધો-12ની પરીક્ષા અંગે 1લી જૂને નિર્ણય લેવાશે, પરીક્ષા યોજવા બાબતે વિકલ્પો રજુ કરાયા
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન,રમેશ પોખરિયાલ નિશાંક

Follow us on

CBSE ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાઇ શકે છે. રવિવારે આ મુદ્દે કેન્દ્રિય શિક્ષણ પ્રધાને ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. જેમાં તેમણે તમામ રાજ્યો પાસેથી 25 મે સુધીમાં પ્રસ્તાવ મંગાવ્યો હોવાનું જણાવ્યું છે.

શિક્ષણપ્રધાને કહ્યું કે અમને વિશ્વાસ છે કે ધોરણ-12ની પરીક્ષા અંગે અમે ટૂંક સમયમાં નિર્ણય લઇ લઇશું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા તથા ભવિષ્ય બન્ને અમારા માટે ખૂબ જ મહત્વના છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રી-પ્રોફેસરો ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા પ્રકાશ જાવડેકરે પણ ભાગ લીધો હતો.

પરીક્ષાને લઈને CBSE પાસે બે વિકલ્પો છે

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

1) ફક્ત મેજર સબ્જેક્ટની પરીક્ષા નક્કી કરાયેલા સેન્ટરો પર યોજાય. આ પરીક્ષાના નંબરોને આધાર બનાવી માઈનર વિષયોમાં પણ નંબર આપી શકાય. આ વિકલ્પ હેઠળ પરીક્ષા યોજવા માટે પ્રી-એક્ઝામ માટે 1 મહિનો, પરીક્ષા અને રિજલ્ટ ડિક્લેર કરવા માટે 2 મહિના અને કંપાર્ટમેન્ટ એક્ઝામ માટે 45 દિવસનો સમય જોઇએ.

2) તમામ વિષયોની એક્ઝામ માટે દોઢ કલાક (90 મિનિટ)નો સમય નક્કી કરવાનું સુચન અપાયું છે. આ સાથે પેપરમાં ફક્ત ઓબ્જેક્ટિવ અથવા શોર્ટ પ્રશ્નો જ પૂછવાની સલાહ અપાઇ છે. આ હેઠળ 45 દિવસમાં જ એક્ઝામ યોજવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે ધોરણ 12ના બાળકોને મેજર સબ્જેક્ટની પરીક્ષા તેમની જ શાળામાં લેવામાં આવે, આ સાથે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ બમણી કરી દેવી.

1લી જૂનના રોજ ફરી બેઠક યોજાશે
શિક્ષણ મંત્રી 1લી જૂનના રોજ CBSE સાથે ફરી બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે યોજાયેલી બેઠકમાં CBSEએ પરીક્ષા માટે વિકલ્પ રજૂ કર્યા છે. કેટલીક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોરણ-12ની પરીક્ષા યોજાશે. તેની તારીખ તથા ફોર્મેટ હજુ સુધી નક્કી નથી. 1જૂનના રોજ તારીખો અંગે જાહેરાત થઈ શકે છે. બીજી બાજુ સ્ટેટમાં ધોરણ-12ની પરીક્ષા યોજવા અંગે નિર્ણય તેમના બોર્ડ પર છોડવામાં આવ્યો છે.

ફક્ત 3 વિષયોની પરીક્ષા યોજવાની વિચારણા
કોરોના મહામારી વચ્ચે CBSE ધોરણ-12માં મુખ્ય વિષયો એટલે કે મેજર સબ્જેક્ટ્સની પરીક્ષા લેવા જ વિચારણા કરી રહી છે. અન્ય સબ્જેક્ટ્સમાં મુખ્ય વિષયો પર મળેલા નંબર્સના આધારે માર્કિંગની ફોર્મ્યુલા પણ બની શકે છે.

Published On - 6:46 pm, Sun, 23 May 21

Next Article