લો…હવે મોદી સરકારના બજેટ પર લાગી શકે છે ગ્રહણ, સુપ્રીમ કોર્ટમાં વકીલે દાખલ કરી જનહિત અરજી (PIL),જાણો શું છે દલીલ ?
મોદી સરકારે અંતરિમ બજેટ રજુ કરવાના થોડાં જ કલાકોમાં મોટી મુશ્કેલી આવી પડી છે. હજી શુક્રવારે સરકારે બજેટ રજુ કરવામાં આવવના થોડાં જ કલાકોમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારને અંતરિમ બજેટ રજુ કરવાનો કોઇ જ અધિકાર નથી અને મોદી સરકારનું બજેટ ગેર […]
મોદી સરકારે અંતરિમ બજેટ રજુ કરવાના થોડાં જ કલાકોમાં મોટી મુશ્કેલી આવી પડી છે. હજી શુક્રવારે સરકારે બજેટ રજુ કરવામાં આવવના થોડાં જ કલાકોમાં સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારને અંતરિમ બજેટ રજુ કરવાનો કોઇ જ અધિકાર નથી અને મોદી સરકારનું બજેટ ગેર બંધારણીય છે.
સુપ્રીમ કોર્ટમાં મનોહર લાલ શર્મા નામના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તેમણે એવો દાવો કર્યો છે કે, બંધારણમાં માત્ર સંપૂર્ણ બજેટ રજુ કરવાનો જ સરકારને અધિકાર છે. જેમાં માત્ર Vote on account(લેખાનુદાન) જ મેળવવાનું રહે છે.
આ પણ વાંચો : ભારતીય મુસ્લિમો માટે હોબાળો કરનારા પાકિસ્તાને તેના જ દેશમાં બંધ કરી સૌથી મોટી સુવિધા
અત્રે નોંધનીય છે કે, 2019 માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેના માટે થોડાં મહિનાનો જ સમય બાકી છે તે સ્થિતિમાં નવી સરકાર જ સંપૂર્ણ બજેટ રજુ કરી શકે છે. તેવી દલીલ મનોહર લાલ શર્મા દ્વારા કરવામાં આવી છે.
આ તરફ મનોહર લાલ શર્મા પણ રસપ્રદ વ્યક્તિ છે જેના પર ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમના પર અરૂણ જેટલી વિરૂધ્ધ RBI માંથી કેપીટલ રિઝર્વનો ઉપડવાના માટે કોર્ટમાં અરજી કરી હતી.
[yop_poll id=”993″]