AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ
PM Modi
| Updated on: Apr 23, 2023 | 3:14 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ પીએમ મોદીને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. તેની પાછળનું કારણ પાડોશી સાથે અંગત દુશ્મનાવટ જણાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.

આ અંગે માહિતી આપતા કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે આરોપીએ પોતાના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો. ફોરેન્સિકની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત અંગે તેમને ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ધમકી આપનાર વ્યક્તિ પોલીસની કસ્ટડીમાં છે.

કેરળમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

પીએમ મોદીની મુલાકાત વિશે માહિતી આપતા કે સેતુ રામને કહ્યું કે વડાપ્રધાન મોદીની કોચી મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સમગ્ર શહેરમાં 2060 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બપોરે 2 વાગ્યાથી ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવ્યો છે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન રોડ શો પણ કરશે.

વડાપ્રધાનના રોડ શોમાં 15,000 લોકો અને યુવામ-23 કાર્યક્રમમાં 20,000 લોકો આવવાની અપેક્ષા છે. કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે યુવામ-23ના સહભાગીઓ માત્ર મોબાઈલ ફોન લાવી શકશે.

શું હતું પીએમ મોદીને મોકલેલા પત્રમાં?

PM મોદી 24 એપ્રિલે કેરળના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમને આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખવામાં આવ્યું હતું. આ પત્ર બાદ જ કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. બસ સ્ટોપથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">