AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

Breaking news :PM નરેન્દ્ર મોદીને ધમકીભર્યો પત્ર આપનાર વ્યક્તિની ધરપકડ
PM Modi
| Updated on: Apr 23, 2023 | 3:14 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ જેવિયર તરીકે કરવામાં આવી છે, જેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિએ પીએમ મોદીને ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો. તેની પાછળનું કારણ પાડોશી સાથે અંગત દુશ્મનાવટ જણાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો.

આ અંગે માહિતી આપતા કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે આરોપીએ પોતાના પાડોશીને ફસાવવા માટે આ પત્ર લખ્યો હતો. ફોરેન્સિકની મદદથી તેને શોધી કાઢવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત અંગે તેમને ધમકી આપવામાં આવી હતી. જોકે, હવે ધમકી આપનાર વ્યક્તિ પોલીસની કસ્ટડીમાં છે.

કેરળમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે

પીએમ મોદીની મુલાકાત વિશે માહિતી આપતા કે સેતુ રામને કહ્યું કે વડાપ્રધાન મોદીની કોચી મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સમગ્ર શહેરમાં 2060 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બપોરે 2 વાગ્યાથી ટ્રાફિક કંટ્રોલ પણ કરવામાં આવ્યો છે. પીએમ મોદી તેમના પ્રવાસ દરમિયાન રોડ શો પણ કરશે.

વડાપ્રધાનના રોડ શોમાં 15,000 લોકો અને યુવામ-23 કાર્યક્રમમાં 20,000 લોકો આવવાની અપેક્ષા છે. કોચી શહેરના પોલીસ કમિશનર કે સેતુ રામને જણાવ્યું કે યુવામ-23ના સહભાગીઓ માત્ર મોબાઈલ ફોન લાવી શકશે.

શું હતું પીએમ મોદીને મોકલેલા પત્રમાં?

PM મોદી 24 એપ્રિલે કેરળના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન તેમને આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં મોકલનારનું નામ અને સરનામું પણ લખવામાં આવ્યું હતું. આ પત્ર બાદ જ કેરળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. બસ સ્ટોપથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">