AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત, જુઓ-VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી.

Breaking News: મેટ્રોમાં સવાર થઈને PM મોદી દિલ્હી યુનિવર્સિટી પહોંચ્યા, મુસાફરો સાથે કરી વાતચીત, જુઓ-VIDEO
PM Modi reached delhi university by riding in metro
| Updated on: Jun 30, 2023 | 11:47 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને વાતચીત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદી દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં ત્રણ નવી ઈમારતોનો શિલાન્યાસ કરશે.

(વીડિયો ક્રેડિટ- ટ્વીટર)

પીએમએ મેટ્રોમાં કરી મુસાફરી

આજે 30મી જૂને દિલ્હી યુનિવર્સિટીનો શતાબ્દી સમારોહનો કાર્યક્રમ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છે. ત્યારે તેઓએ યુનિવર્સીટી સુધી પહોચવા માટે પોતાની ગાડી અને પ્રાઈવેટ વાહનનો ઉપયોગ ન કરીને દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન પીએમએ મેટ્રોમાં સવાર મુસાફરો સાથે બેસીને પણ ઘણી વાતચીત કરી હતી. તે જ સમયે, ડીયુએ કાર્યક્રમમાં પીએમ મોદીની ભાગીદારી અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને કાર્યક્રમમાં હાજર રહેવા જણાવાયું છે.

(ફોટો ક્રેડિટ- ટ્વીટર) 

પીએમ મોદીએ એક સામાન્ય માણસની જેમ મેટ્રોમાં મુસાફરી કરવા માટે ટોકન પણ ખરીદ્યું હતું. જ્યારે તે ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ પર પહોંચ્યો ત્યારે ત્યાં હાજર અન્ય મુસાફરોમાં આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. પીએમ મોદીને મેટ્રોમાં જોઈ આસપાસ ઉભેલા દરેક લોકો પીએમની પીસે આવી ગયા હતા.

પીએમ મોદી આજે દિલ્હી યુનિવર્સીટીના શતાબ્દી સમારોહ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા જઈ રહ્યા હતા. જ્યા તેઓએ યુનિવર્સીટી સુધી પહોચવા માટે મેટ્રોનો સહારો લેતા અન્ય મુસાફરો ખુશ થઈ ગયા હતા અને પીએમ મોદી સાથે આ મુસાફરી દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ વાતચીત પણ કરી હતી.

યુનિવર્સીટીમાં 1 મેથી શરૂ થઈ હતી ઉજવણી

મળતી માહિતી મુજબ, આજે આ કાર્યક્રમ DU સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મલ્ટીપર્પઝ હોલમાં આયોજિત કરવામાં આવશે. યુનિવર્સિટી પ્રશાસને જણાવ્યું કે આ અવસર પર પીએમ વર્ચ્યુઅલ રીતે 3 નવી ઈમારતોનો શિલાન્યાસ કરશે. નોંધપાત્ર રીતે, દિલ્હી યુનિવર્સિટીએ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ કાર્યક્રમોની શ્રેણી શરૂ કરી હતી. DU ની આ ઉજવણી જે 1 મે 2022 ના રોજ શરૂ થઈ હતી.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">