AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક

ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક

Breaking News: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 11:48 AM
Share

ઓડિશા  ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલની બેઠક. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ તાત્કાલિ મીટિંગ બોલાવી છે.

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 230થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 900ને વટાવી ગઈ છે. વાસ્તવમાં શુક્રવારે સાંજે એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેનના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં ત્રીજી માલગાડી પણ સામેલ હતી.

આ ટ્રેન દુર્ઘટના હાલના સમયમાં સૌથી ખતરનાક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનોમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. UNGAએ કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુઃખ થયું છે.

પીએમ મોદીએ બેઠક બોલાવી

અકસ્માતની ગંભીરતાને જોતા બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને સેનાને પણ બચાવ કામગીરીમાં તૈનાત કરવામાં આવી છે. ભારતીય સેનાના કર્નલ એસકે દત્તાએ જણાવ્યું કે સેના ગઈકાલ રાતથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે અને કોલકાતાથી વધુ સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા છે. તે જ સમયે, પીએમ મોદીએ અકસ્માતને લઈને બેઠક બોલાવી છે.

કયા કારણે થયો અકસ્માત?

ઓડિશા ટ્રેન દુર્ઘટના ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાવાને કારણે થયેલા આ ભયાનક અકસ્માતને લઈને ખુદ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ આશ્ચર્યચકિત છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તે જ સમયે, રેલ નિષ્ણાતો આ દુર્ઘટના પાછળ ઘણા કારણો આપી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે બાલાસોર કોરોમંડલ ટ્રેન દુર્ઘટના માટે પાંચ સંભવિત કારણો આપ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">