AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટેક ઓફ થતા જ દિલ્હીથી લેહ જઇ રહેલા વિમાનમાં લાગી આગ, પાયલટે તણખા જોતા જ ભર્યુ મહત્વનું પગલુ

દિવસે ને દિવસે પ્લેન ક્રેશ અને વિમાનમાં ટેકનિકલ ખામીના સમાચાર વધુ ને વધુ સામે આવી રહ્યા છે. હજુ તો ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના તાજી જ છે, ત્યાં વધુ એક પ્લેનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેનમાં ટણખા અને આગ જોતા જ પાયલટ સતર્ક થઇ ગયા હતા. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે પછી પાયલટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

Breaking News : ટેક ઓફ થતા જ દિલ્હીથી લેહ જઇ રહેલા વિમાનમાં લાગી આગ, પાયલટે તણખા જોતા જ ભર્યુ મહત્વનું પગલુ
| Updated on: Feb 24, 2026 | 11:13 AM
Share

દિવસે ને દિવસે પ્લેન ક્રેશ અને વિમાનમાં ટેકનિકલ ખામીના સમાચાર વધુ ને વધુ સામે આવી રહ્યા છે. હજુ તો ચતરા એર એમ્બ્યુલન્સ ક્રેશની ઘટના તાજી જ છે, ત્યાં વધુ એક પ્લેનમાં ટેકઓફ બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેનમાં ટણખા અને આગ જોતા જ પાયલટ સતર્ક થઇ ગયા હતા. થોડી વાર માટે તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે પછી પાયલટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો.

દિલ્હીથી લેહ જતી SpiceJetની ફ્લાઇટને આજે ટેકઓફ કર્યા થોડા જ મિનિટમાં તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઇટ દરમિયાન તણખા અને આગ જોવા મળતા પાઇલટે સુરક્ષિત રીતે ફ્લાઇટને પાછા દિલ્હી લાવવામાં આવ્યાં. પ્રારંભિક માહિતી અનુસાર, આ ઘટના ટેકનિકલ ખામીને કારણે બની હતી.

મુસાફરોમાં ભયનો માહોલ

ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યા પછી, તમામ મુસાફરોને એરપોર્ટ પર અટકાયતમાં રાખવામાં આવ્યું હતું અને ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સ્પાઇસજેટનું નિવેદન

સ્પાઇસજેટએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, “24 ફેબ્રુઆરીના રોજ, દિલ્હીથી લેહ જતી ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, જેના લીધે ફ્લાઇટ દિલ્હી પરત ફરવી પડી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર આવ્યા. કોકપીટમાં આગ લાગવાની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.”

ભારતમાં વિમાન દુર્ઘટનાઓમાં વધારો

2026માં અત્યાર સુધીમાં, ભારતમાં ઓછામાં ઓછા ત્રણ મોટા વિમાન અકસ્માત નોંધાયા છે, જેમાં જાનહાનિ થઈ છે. તેમાં મુખ્યત્વે નાના, ચાર્ટર, એમ્બ્યુલન્સ અને લશ્કરી વિમાનો સામેલ છે. મોટી કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ (જેમ કે એર ઇન્ડિયા, ઇન્ડિગો) માં કોઈ ગંભીર દુર્ઘટના નોંધાઈ નથી, પરંતુ સતત ઈમરજન્સી લેન્ડિંગના અહેવાલ ચિંતાજનક છે.

  • 28 જાન્યુઆરી, 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ફ્લાઇટ ક્રેશ, છ લોકોના મૃત્યુ.

  • 10 જાન્યુઆરી, 2026: સેસ્ના 208 (ઇન્ડિયાવન એર) ઓડિશા નજીક બળજબરીથી ઉતરાણ/ક્રેશ, એક મૃત્યુ અને અનેક ઘાયલ.

  • 23 ફેબ્રુઆરી, 2026: રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ઝારખંડમાં ક્રેશ, સવાર તમામ 7 લોકોનું મૃત્યુ.

આ ઘટનાઓ દર્શાવે છે કે નાની વિમાન સેવાઓમાં સુરક્ષા અંગે વધુ સાવધાની જરૂરી છે, જ્યારે મોટી પેસેન્જર ફ્લાઇટ્સ હજુ સુધી સુરક્ષિત રહી છે.

મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
મિત્ર સાથે ગેરસમજ થઈ શકે છે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
ગિરનારની ચોથી ટૂંક પર ધ્વજ મામલે કાર્યવાહી
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
g clip-path="url(#clip0_868_265)">