AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય
modi cabinet approves vishwakarma yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:58 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

વિશ્વકર્મા યોજના લાગુ

મળતી માહિતી મુજબ, આ યોજના સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતિના દિવસે શરૂ કરવામાં આવશે. કેન્દ્રની આ યોજનાનો હેતુ સોની, કડિયા, વાળંદ, લુહાર જેવા કામ કરતા લોકોને મદદ કરવાનો છે. લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે શરૂઆતમાં આ યોજના 15,000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવશે અને બાદમાં તેમાં વધારો કરવામાં આવશે.

બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો હેતુ આ વર્ગને તાલીમ અને સાધનો આપવાનો હશે. લોન્ચ કરતી વખતે કેન્દ્ર સરકાર આ યોજના વિશે વિગતવાર માહિતી આપશે.

PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાતો

મંગળવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી હતી. PM મોદીએ વિશ્વકર્મા સ્કીમ ઉપરાંત ‘લખપતિ દીદી’ વિશે પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ માહિતી આપી હતી કે સરકારનું લક્ષ્ય 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે, આના દ્વારા ગ્રામીણ મહિલાઓને ડ્રોન ચલાવવા અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવશે, તેનો મુખ્ય ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થશે.

આ સ્કીમ સિવાય પીએમ મોદીએ મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોનના વ્યાજમાં થોડી રાહત આપવાની વાત કરી હતી. કેન્દ્ર સરકારે શહેરમાં રહેતા આટલા મોટા વર્ગના લોકો, અનધિકૃત વસાહતોમાં રહેતા અને ભાડાના મકાનમાં રહેતા લોકોને મદદ કરવા માટે આ મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે જેઓ શહેરમાં પોતાનું મકાન બનાવવા માંગે છે. ટૂંક સમયમાં આ સ્કીમ સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવશે.

લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
g clip-path="url(#clip0_868_265)">