AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય

15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે.

Breaking News: મોદી કેબિનેટે વિશ્વકર્મા યોજનાને આપી મંજૂરી, PM મોદીની જાહેરાતના 24 કલાકમાં જ લેવાયો નિર્ણય
modi cabinet approves vishwakarma yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 2:58 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના 24 કલાકની અંદર કેન્દ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

વિશ્વકર્મા યોજના લાગુ

મળતી માહિતી મુજબ, આ યોજના સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતિના દિવસે શરૂ કરવામાં આવશે. કેન્દ્રની આ યોજનાનો હેતુ સોની, કડિયા, વાળંદ, લુહાર જેવા કામ કરતા લોકોને મદદ કરવાનો છે. લાલ કિલ્લા પરથી જાહેરાત કરતા પીએમ મોદીએ કહ્યું કે શરૂઆતમાં આ યોજના 15,000 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવશે અને બાદમાં તેમાં વધારો કરવામાં આવશે.

બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેનો હેતુ આ વર્ગને તાલીમ અને સાધનો આપવાનો હશે. લોન્ચ કરતી વખતે કેન્દ્ર સરકાર આ યોજના વિશે વિગતવાર માહિતી આપશે.

PM મોદીએ લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાતો

મંગળવારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે મહત્વની જાહેરાત કરી હતી. PM મોદીએ વિશ્વકર્મા સ્કીમ ઉપરાંત ‘લખપતિ દીદી’ વિશે પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ માહિતી આપી હતી કે સરકારનું લક્ષ્ય 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનું છે, આના દ્વારા ગ્રામીણ મહિલાઓને ડ્રોન ચલાવવા અને તેનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવશે, તેનો મુખ્ય ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થશે.

આ સ્કીમ સિવાય પીએમ મોદીએ મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોનના વ્યાજમાં થોડી રાહત આપવાની વાત કરી હતી. કેન્દ્ર સરકારે શહેરમાં રહેતા આટલા મોટા વર્ગના લોકો, અનધિકૃત વસાહતોમાં રહેતા અને ભાડાના મકાનમાં રહેતા લોકોને મદદ કરવા માટે આ મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે જેઓ શહેરમાં પોતાનું મકાન બનાવવા માંગે છે. ટૂંક સમયમાં આ સ્કીમ સંબંધિત માહિતી પણ શેર કરવામાં આવશે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">