Gaganyaanઆ દિવસે ભરશે પહેલી ટેસ્ટ ઉડાન, અવકાશને સ્પર્શીને ધરતી પર પરત આવશે

|

Oct 11, 2023 | 4:51 PM

Gaganyaan News : આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ (ટીવી-ડી1) હાથ ધરવામાં આવશે, જે ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે જેમાં આવતા વર્ષના અંતમાં માનવ અવકાશ ઉડાન દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓ રહેશે.

Gaganyaanઆ દિવસે ભરશે પહેલી ટેસ્ટ ઉડાન, અવકાશને સ્પર્શીને ધરતી પર પરત આવશે
Gaganyaan Mission

Follow us on

ISRO : ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) 21 ઓક્ટોબરે ગગનયાન મિશન (Gaganyaan Mission) પહેલા અનેક પરીક્ષણ ફ્લાઇટ્સમાંથી પ્રથમ કરશે. ગગનયાન મિશન ભારતનું પહેલુ માનવ સ્પેશ મિશન હશે.

આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઇટ (ટીવી-ડી1) હાથ ધરવામાં આવશે, જે ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે જેમાં આવતા વર્ષના અંતમાં માનવ અવકાશ ઉડાન દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓ રહેશે.

સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?
શરીરને અંદરથી પાણી વડે કરી શકાશે સાફ ! જાણો આ Hydrocolon Therapy વિશે
બોલિવુડ અભિનેત્રી ટુંક સમયમાં બનશે માતા
કોઈ પણ સંજોગોમાં સવારે આટલા વાગ્યા સુધીમાં પથારી છોડી દેવી, જયા કિશોરીએ જણાવ્યું કારણ
સવારે ખાલી પેટે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે?

ગગનયાન મિશનનું ટેસ્ટ વ્હીકલ

પરીક્ષણમાં મોડ્યુલને અવકાશમાં લોંચ કરવું, તેને પૃથ્વી પર પરત કરવું અને બંગાળની ખાડીમાં ઉતર્યા પછી તેને પુનઃપ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશનમાં સામેલ ઈસરોના ઈજનેરોના સન્માન કાર્યક્રમમાં સિંહે જણાવ્યું હતું કે, નૌકાદળે મોડ્યુલને ફરી પ્રાપ્ત કરવા માટે પહેલેથી જ એક મોક ઓપરેશન શરૂ કરી દીધું છે.

ક્રૂ મોડ્યુલ સાથે, TV-D1 “ક્રુ એસ્કેપ” સિસ્ટમનું પણ પરીક્ષણ કરશે, જે અવકાશયાનને અવકાશમાં ચડતી વખતે કોઈ સમસ્યા આવે તો ક્રૂને પૃથ્વી પર પરત કરવાની અપેક્ષા છે. મંત્રીએ જણાવ્યું હતું કે પરીક્ષણની સફળતા પ્રથમ માનવરહિત “ગગનયાન” મિશન પૃથ્વીની ભ્રમણકક્ષામાં બાહ્ય અવકાશમાં માનવરહિત મિશન માટેનો તબક્કો સેટ કરશે.

તેમણે કહ્યું કે અંતિમ માનવસહિત “ગગનયાન” મિશન પહેલા, આવતા વર્ષે એક પરીક્ષણ ઉડાન હશે, જેમાં મહિલા રોબોટ અવકાશયાત્રી “વ્યોમિત્રા” હશે.ગગનયાન પ્રોજેક્ટ 400 કિમીની ભ્રમણકક્ષામાં ક્રૂને લોન્ચ કરીને અને ભારતીય જળસીમામાં ઉતરાણ કરીને અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરીને માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું નિદર્શન કરે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article