Breaking News: ચંદ્ર પર ભારતનો વિજય નિશ્ચિત, ચંદ્રયાન-3 એ છેલ્લી ભ્રમણકક્ષામાં લીધી એન્ટ્રી

પૃથ્વી પરથી એક મહિનાની લાંબી મુસાફરી બાદ અવકાશયાન સફળતાપૂર્વક ચંદ્રની આસપાસ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે.

Breaking News: ચંદ્ર પર ભારતનો વિજય નિશ્ચિત, ચંદ્રયાન-3 એ છેલ્લી ભ્રમણકક્ષામાં લીધી એન્ટ્રી
breaking news chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 3:29 PM

ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્ર સંશોધન મિશન, ચંદ્રયાન 3, તેના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કાની નજીક છે. પૃથ્વી પરથી એક મહિનાની લાંબી મુસાફરી બાદ અવકાશયાન સફળતાપૂર્વક ચંદ્રની આસપાસ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું છે. હવે, તે લેન્ડર અને રોવરને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવાની અને સોફ્ટ લેન્ડિંગની તૈયારીમાં તેની ભ્રમણકક્ષાને વધુ નીચે કરવાની તૈયારી કરી રહ્યું છે.

ચંદ્રયાન-3 એ 16 ઓગસ્ટ, 2023 ના રોજ તમામ ચંદ્ર-બાઉન્ડ એટલે કે જે 5 ભ્રમણકક્ષા હતી જેમાંથી 4 પૂર્ણ કરી દીધી છે, અને 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો છે. અવકાશયાન 16 ઓગસ્ટના રોજ IST સવારે 8:30 વાગ્યે સફળ ફાયરિંગ પૂર્ણ કર્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલને અલગ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આગામી ઓપરેશન 17 ઓગસ્ટના રોજ થવાનું છે.

 ચંદ્રની નજીક આવી રહ્યું છે

આ વર્ષે 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-3 તેના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યું છે. 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી, અવકાશયાન ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે, જે ધીમે ધીમે ચંદ્રથી તેનું અંતર ઘટાડી રહ્યું છે.

ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે

23 ઓગસ્ટના રોજ સુનિશ્ચિત થયેલ સોફ્ટ લેન્ડિંગનો ઉદ્દેશ લેન્ડર અને રોવરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મૂકવાનો છે. એવું માનવામાં આવે છે કે આ શોધો તરફ દોરી જશે. રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બનશે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">