AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Atiq Ahmed shot dead: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, 3 લોકોની ધરપકડ

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. આ હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે થઈ હતી.

Breaking News: Atiq Ahmed shot dead: અતીક અહેમદ અને ભાઈ અશરફની ગોળી મારી હત્યા, 3 લોકોની ધરપકડ
Atiq Ahmed and his brother Ashraf Ahmed shot dead
| Updated on: Apr 15, 2023 | 11:28 PM
Share

ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી. બંનેને મેડિકલ માટે લાવવામાં આવ્યા હતા. આ હત્યા પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે થઈ હતી. બંનેના હાથમાં હાથકડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અશરફના માથામાં ગોળી વાગી હતી.

પોલીસે હત્યા કેસમાં 3 લોકોની ધરપકડ કરી

મળતી માહિતી મુજબ પોલીસના વાહનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ પછી અતીક અને અશરફ અહેમદનું મોત થયું હતું. પોલીસે હત્યા કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે. એક મીડિયા અહેવાલ મુજબ ત્રણ હુમલાખોરનું નામ સચિન, લવલેશ અને અરૂણ જણાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ હુમલાખોરોએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ છે.

પોલીસને અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી

પોલીસને અતીક અને અશરફના મૃતદેહ પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ ઘણા દિવસોથી અતીક અહેમદ અને અશરફની પૂછપરછ કરી રહી હતી. માફિયા અતીકના પુત્ર અસદની ગુરુવારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, હવે અતીક અને અશરફ બંનેની શનિવારે રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે.

24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી

યુપીના પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ અને તેના બે સુરક્ષાકર્મીઓની માફિયાઓએ ગોળી મારીને હત્યા કરી હતી. પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ માફિયાઓએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન તેનું અને તેના એક ગનર્સનું ગોળી વાગવાથી મોત થયું હતું. જ્યારે અન્ય ગનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. અતીક પર આ હત્યા કેસમાં કાવતરું ઘડવાનો આરોપ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">