AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda Bengal Visit Postponed: આ કારણે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો બંગાળ પ્રવાસ સ્થગિત

બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા TMCમાંથી ભાજપમાં આવનારા નેતાઓનો ધસારો હતો, પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ફરી પાછા ફર્યા છે.

JP Nadda Bengal Visit Postponed: આ કારણે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો બંગાળ પ્રવાસ સ્થગિત
BJP National President JP Nadda (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 7:34 PM
Share

West Bengal: બંગાળ અને કોલકાતામાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)નો 9-10 જાન્યુઆરીએ બંગાળનો પ્રસ્તાવિત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં કોરોના રોગચાળાના વધતા જતા સંક્રમણને જોતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (BJP National President JP Nadda)ની બંગાળની મુલાકાત સ્થગિત કરવામાં આવી છે (JP Nadda Bengal Visit Postponed). બંગાળ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંગાળ અને કોલકાતામાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની 9-10 જાન્યુઆરીના બંગાળના પ્રસ્તાવિત પ્રવાસને સ્થગિત કરવામાં આવ્યો છે.

તે કોલકાતા આવીને નાદિયા જવાના હતા. તેઓ બંગાળ ભાજપના અધિકારીઓ સાથે પણ બેઠક કરવાના હતા, પરંતુ તેમની મુલાકાત હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. બંગાળ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમના પ્રવાસની આગામી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સિંગુરથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારે (BJP state president Sukanta Majumdar) નબાન અભિયાન (The Naban Campaig)ની હાકલ કરી હતી અને મમતા બેનર્જી સરકાર (The Mamata Banerjee Government) વિરુદ્ધ આંદોલનની જાહેરાત કરી હતી.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પણ બંગાળની મુલાકાતે જવાના હતા, પરંતુ તેમની મુલાકાત પહેલા જ રદ કરી દેવામાં આવી હતી. હવે જેપી નડ્ડા બંગાળનો પ્રવાસ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બંગાળ ભાજપની નવી કારોબારીને લઈને વિવાદ

બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા TMCમાંથી ભાજપમાં આવનારા નેતાઓનો ધસારો હતો, પરંતુ વિધાનસભા ચૂંટણી બાદ મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ફરી પાછા ફર્યા છે. તેવી જ રીતે સ્થાનિક સ્તરે પણ ભાજપના નેતાઓ TMCમાં જોડાઈ રહ્યા છે.

તાજેતરમાં જ બંગાળ ભાજપે રાજ્ય કારોબારીની જાહેરાત કરી છે. પાર્ટીના ઘણા નેતાઓ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે. તેમનો આરોપ છે કે તેમના સમર્થકોને કાર્યકારીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઘણા નેતાઓએ ખુલ્લેઆમ પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીએ પણ આ અંગે હસ્તક્ષેપ કર્યો છે અને મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ખામી મુદ્દે સ્મૃતિ ઈરાનીએ કહ્યું- કોંગ્રેસના ઈરાદા નિષ્ફળ ગયા

આ પણ વાંચો: કેવી હોય છે વડાપ્રધાનની સુરક્ષા ? જાણો શું હોય છે તેનો પ્રોટોકોલ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">