BJP National Executive Meet : રાષ્ટ્રીય કાર્યકારિણી બાદ યુપી ભાજપને મળી શકે છે નવો અધ્યક્ષ, સંગઠનમાં નવી ટીમની નિમણૂક પર લાગશે મહોર

|

Jul 02, 2022 | 8:18 AM

તેલંગાણા(Telangana)માં આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં યુપી ભાજપ(UP BJP)ના નવા અધ્યક્ષ પદ માટે કોઈ નેતાના નામ પર મહોર લાગી શકે છે.

BJP National Executive Meet : રાષ્ટ્રીય કાર્યકારિણી બાદ યુપી ભાજપને મળી શકે છે નવો અધ્યક્ષ, સંગઠનમાં નવી ટીમની નિમણૂક પર લાગશે મહોર
UP BJP may get new president after national executive Meet

Follow us on

BJP National Executive Meet : તેલંગાણામાં યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં પણ પાર્ટીની અંદર મોટો ફેરફાર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આજની બેઠક બાદ પ્રદેશ ભાજપ(BJP)ને નવા અધ્યક્ષ મળી શકે છે. હકીકતમાં, લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને, સંગઠન મહાસચિવ, સહ-સંગઠન મહાસચિવ અને ક્ષેત્રીય સંગઠન મંત્રીમાં ફેરફાર કરવો પડશે. આજની બેઠક બાદ પક્ષના નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચા છે. હાલ પાર્ટીમાં અનેક નેતાઓ પ્રદેશ પ્રમુખની લાઈનમાં છે. 

દક્ષિણ ભારતમાં પોતાને સ્થાપિત કરવા માટે આજે તેલંગાણામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં યુપી ભાજપના નવા અધ્યક્ષ પદ માટે કોઈ નેતાના નામ પર મહોર લાગી શકે છે. વાસ્તવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ રાજ્ય સરકારમાં જલ શક્તિ મંત્રી પણ છે અને પાર્ટીમાં વન પોસ્ટ વન પર્સન ફોર્મ્યુલા લાગુ છે. જે બાદ સ્વતંત્ર દેવ સિંહે આ પદ પરથી રાજીનામું આપવું પડશે. સ્વતંત્રદેવનો ત્રણ વર્ષનો કાર્યકાળ પણ 16મી જુલાઈએ પૂરો થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં પક્ષના પ્રમુખ પદે કોઈ બીજાની નિમણૂંક થવાની છે.

આ બ્રાહ્મણ ચહેરાઓ પર નજર

હાલમાં પાર્ટીમાં બ્રાહ્મણ ચહેરાઓની વાત કરીએ તો કન્નૌજના સાંસદ સુબ્રત પાઠક, અલીગઢના સાંસદ સતીશ ગૌતમ, નોઈડાના સાંસદ મહેશ શર્મા, પૂર્વ ઉપમુખ્યમંત્રી ડૉ. દિનેશ શર્માના નામ ચર્ચામાં છે. 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ દલિત અને પછાત વર્ગના દાવેદારો છે

બ્રાહ્મણોની સાથે ભાજપ રાજ્યમાં અન્ય વર્ગોના નેતાને પણ સંગઠનનું નેતૃત્વ સોંપી શકે છે. જેમાં કેન્દ્રીય મંત્રી બીએલ વર્મા, સંજીવ બાલિયાન, પંચાયતી રાજ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, પ્રદેશ મહાસચિવ અમરપાલ મૌર્ય સામેલ છે. તે જ સમયે, દલિત વર્ગમાંથી ઇટાવાના સાંસદ રામશંકર કથેરિયા, સાંસદ ભોલા સિંહ, એમએલસી લક્ષ્મણ આચાર્ય અને રવિ સોનકરનું નામ લેવામાં આવી રહ્યું છે.

Published On - 8:18 am, Sat, 2 July 22

Next Article