Nupur Sharma Case: પયંગબર પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ નૂપુર શર્માની મુશ્કેલીઓ વધી, FIR નોંધાયા બાદ દિલ્હી પોલીસે મોકલી નોટિસ

|

Jul 02, 2022 | 7:08 AM

પયગંબર પર વિવાદિત નિવેદન આપનાર બીજેપી નેતા નુપુર શર્માની મુસીબતો સતત વધી રહી છે. સૌ-પ્રથમ સુપ્રીમ કોર્ટે સખત ઠપકો સહન કરવો પડ્યો. હવે દિલ્હી પોલીસે નુપુર શર્માને કલમ 41A હેઠળ નોટિસ મોકલી છે.

Nupur Sharma Case: પયંગબર પર વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ નૂપુર શર્માની મુશ્કેલીઓ વધી, FIR નોંધાયા બાદ દિલ્હી પોલીસે મોકલી નોટિસ
નુુપૂર શર્મા (ફાઇલ ફોટો)

Follow us on

Nupur Sharma Case: સુપ્રીમ કોર્ટની કડક ઝાટકણી બાદ બીજેપી નેતા નુપુર શર્માની મુશ્કેલીઓ વધવા લાગી છે. નુપુર શર્મા વિરુદ્ધ FIR નોંધાયા બાદ દિલ્હી પોલીસે કલમ 41A હેઠળ તપાસમાં સામેલ થવા માટે નોટિસ મોકલી છે. જણાવી દઈએ કે, નુપુર શર્મા પહેલાથી જ તપાસમાં જોડાઈ ગઈ હતી અને દિલ્હી પોલીસે 18 જૂને તેનું નિવેદન પણ નોંધ્યું હતું. વાસ્તવમાં એક ટીવી ડિબેટ દરમિયાન પયંગબર મોહમ્મદ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ધીરે ધીરે આ મામલો વધતો ગયો. તેના વિરોધમાં યુપીના કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરોમાં હિંસા કરવામાં આવી હતી. શુક્રવારની નમાજ પછી, વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનની સાથે આગચંપી પણ કરવામાં આવી હતી. મામલો શાંત પડ્યો હતો કે, રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડના કારણે ફરી ચિનગારી ભભૂકી ઉઠી હતી.

તે જ સમયે, સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી હતી. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને કડક સ્વરમાં દેશની માફી માંગવા કહ્યું છે. કોર્ટે કહ્યું છે કે નુપુર શર્માએ ટીવી ડિબેટમાં પ્રોફેટ વિશે ટિપ્પણી કરી હતી, તેથી તેણે ટીવી સામે માફી પણ માંગવી જોઈએ. બીજી તરફ મુસ્લિમ ઉલેમાઓએ સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણીને આવકારી છે.

‘નૂપુરને સખત સજા થવી જોઈએ’

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે નૂપુરને કડકમાં કડક સજા મળવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી ટિપ્પણી કરીને દેશનું વાતાવરણ ન બગાડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમાત-એ-ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ મોહમ્મદ સલીમ એન્જિનિયરે પણ કોર્ટની ટિપ્પણી પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેઓ તેનું સ્વાગત કરે છે. તેણે કહ્યું કે નુપુરે દેશની માફી માંગવી જોઈએ, પરંતુ તેનાથી તેના ગુનામાં ઘટાડો થતો નથી. તેમને કાયદાકીય રીતે સજા પણ થવી જોઈએ. સલીમ એન્જિનિયરે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે નૂપુરના નિવેદનથી દેશનું વાતાવરણ બગાડ્યું છે. તેમણે કહ્યું કે નુપુરની ધરપકડ ન કરવી એ સમાજમાં ખોટો સંદેશ છે.

પયંગબર પર નૂપુર શર્માનું નિવેદન

આ વિવાદ એક ટીવી ડિબેટ દરમિયાન શરૂ થયો હતો, જેમાં ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ કથિત રીતે પંગબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. ધીરે ધીરે આ મામલો વધતો ગયો. તેના વિરોધમાં યુપીના કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરોમાં હિંસા કરવામાં આવી હતી. શુક્રવારની નમાજ પછી, બદમાશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનની સાથે આગચંપી પણ કરવામાં આવી હતી.

Published On - 7:06 am, Sat, 2 July 22

Next Article