બિહાર: પટનામાં ભૂકંપના ઝટકા, ગભરાઈને લોકો ઘરની બહાર આવી ગયા
બિહારની રાજધાની પટનામાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. ભૂકંપના ઝટકાને અનુભવીને લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા છે.
બિહારની રાજધાની પટનામાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. ભૂકંપના ઝટકાને અનુભવીને લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા છે. બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ ટ્વીટ કરીને કહ્યું કે તેમને ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. તેમને તમામ લોકોને સુરક્ષિત રહેવા અને પોતાની સંભાળ રાખવા માટે કહ્યું છે.
#Earthquake of Magnitude:3.5, Occurred on 15-02-2021, 21:23:47 IST, Location: 20km NW of Nalanda, #Bihar, India. : @NCS_Earthquake#TV9News pic.twitter.com/A9sjeP2zVs
— tv9gujarati (@tv9gujarati) February 15, 2021
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિન્દુ જમીનથી 5 કિલોમીટર નીચે હતું. તમને જણાવી દઈએ કે આ પહેલા 12 ફેબ્રુઆરીએ પણ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ઉત્તરભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો.
આ પણ વાંચો: Local Body Poll 2021: Mehsanaમાં કીર્તિસિંહ ઝાલાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા શો કોઝ નોટિસ