Big News : 700 ભારતીય વિદ્યાર્થીઓ પર કેનેડાથી દેશ નિકાલનું જોખમ ,જાણો સમગ્ર મામલો

|

Mar 16, 2023 | 7:05 PM

દેશમાંથી વિદેશ અભ્યાસ કરવા જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અનેક વાર લેભાગુ એજન્ટનો શિકાર પણ બનતા હોય છે. આવો જે એક કિસ્સો હાલમાં કેનેડા અભ્યાસ કરવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે બન્યો હોવાનું સામે આવી છે. જેમાં અભ્યાસ માટે કેનેડા પહોંચેલા આ વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી(CBSA)તરફથી દેશનિકાલ પત્રો મળ્યા હતા

Big News : 700 ભારતીય વિદ્યાર્થીઓ પર કેનેડાથી દેશ નિકાલનું જોખમ ,જાણો સમગ્ર મામલો
Canada Indian Student deportation Issue

Follow us on

દેશમાંથી વિદેશ અભ્યાસ કરવા જવાની ઘેલછામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અનેક વાર નકલી દસ્તાવેજ બનાવતા  એજન્ટનો શિકાર પણ બનતા હોય છે. આવો જે એક કિસ્સો હાલમાં કેનેડા અભ્યાસ કરવા ગયેલા 700થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે બન્યો હોવાનું સામે આવી છે. જેમાં અભ્યાસ માટે કેનેડા પહોંચેલા આ વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી(CBSA)તરફથી દેશનિકાલ પત્રો મળ્યા હતા. જેમાં કેનેડાના સત્તાવાળાઓને શૈક્ષણિક સંસ્થાઓએ આપેલા તેમના એડમિશન લેટર્સ બનાવટી હોવાનું જણાવ્યું છે.

જેમાં મીડિયા અહેવાલો અનુસાર, આ 700 વિદ્યાર્થીઓએ જાલંધરમાં બ્રિજેશ મિશ્રા નામના વ્યકિત દ્વારા ચલાવવામાં આવતી એજ્યુકેશન માઇગ્રેશન સર્વિસીસ દ્વારા અભ્યાસ વિઝા માટે અરજી કરી હતી. જેમણે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ હમ્બર કોલેજમાં પ્રવેશ ફી સહિત તમામ ખર્ચ માટે વિદ્યાર્થી દીઠ એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટ સિવાય રૂપિયા 16 લાખથી વધુ વસૂલ્યા હતા.

આ વિદ્યાર્થીઓ 2018-19માં અભ્યાસના આધારે કેનેડા ગયા હતા. આ છેતરપિંડીનો કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ વિદ્યાર્થીઓએ કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી(PR)માટે અરજી કરી હતી. જેની માટે ‘એડમિશન ઑફર લેટર્સ’ ચકાસણી હેઠળ આવ્યા હતા, એટલે કે CBSA એ દસ્તાવેજોની તપાસ કરી હતી જેના આધારે વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું. એડમિશન ઑફર લેટર્સ નકલી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, વર્ક પરમિટ મેળવી છે અને કામનો અનુભવ પણ મેળવ્યો છે. જ્યારે તેઓએ PR માટે અરજી કરી ત્યારે જ તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પ્રકારના એજ્યુકેશન ફ્રોડનો કિસ્સો કેનેડામાં પ્રથમ વખત સામે આવ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આટલી મોટી છેતરપિંડી કેનેડામાં મોટી સંખ્યામાં અરજદારોને કારણે થઈ હતી.

તેમજ માહિતી મુજબ જાલંધર સ્થિત એક કન્સલ્ટન્ટ જે છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓને કેનેડા મોકલે છે. આવી છેતરપિંડીઓમાં ઘણા પરિબળો સામેલ છે – કોલેજોના બનાવટી ઑફર લેટર મેળવવાથી લઈને વિદ્યાર્થીઓને વિઝા મેળવવા માટે નકલી ફી ચૂકવવાની રસીદો પૂરી પાડવા સુધી. કારણ કે કોલેજોમાં ફી જમા કરાવ્યા પછી જ વીઝા આપવામાં આવે છે.

આ કિસ્સામાં મોટાભાગના વિદ્યાર્થીઓને એવી કોલેજોના ઑફર લેટર્સ આપવામાં આવ્યા હતા જ્યાં તેઓ કેનેડામાં ઉતર્યા પછી અભ્યાસ કરતા ન હતા. તેઓને કાં તો અન્ય કોલેજોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અથવા પછીના સેમેસ્ટરની રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું, એટલે કે, વિઝા માટે અરજી કરતી વખતે દસ્તાવેજોમાં દર્શાવવામાં આવેલા સેમેસ્ટરમાં નથી.

આ પણ વાંચો : CAA વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જાણો એરિક ગારસેટ્ટીને, અમેરિકાએ ભારતમાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા

Published On - 7:03 pm, Thu, 16 March 23

Next Article