AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુરમાં નીતિશની પાર્ટીને મોટો ફટકો, JDUના 7માંથી 5 ધારાસભ્યો BJPમાં જોડાયા

મણિપુર વિધાનસભા(manipur Assembly)ના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે JD(U)ના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણનો સ્વીકાર કર્યો છે.

મણિપુરમાં નીતિશની પાર્ટીને મોટો ફટકો, JDUના 7માંથી 5 ધારાસભ્યો BJPમાં જોડાયા
Big blow to Nitish's party in Manipur, 5 out of 7 JDU MLAs join BJP
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2022 | 6:37 AM
Share

મણિપુર((Manipur)માં, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર(Nitish Kumar)ના જનતા દળ (JDU) ના સાતમાંથી પાંચ ધારાસભ્યો શુક્રવારે સત્તારૂઢ ભાજપમાં જોડાયા હતા. મણિપુર વિધાનસભાના સચિવ કે મેઘજીત સિંહ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે JD(U)ના પાંચ ધારાસભ્યોના ભાજપમાં વિલીનીકરણનો સ્વીકાર કર્યો છે. પક્ષ બદલનારા ધારાસભ્યોની સંખ્યા કુલના બે તૃતીયાંશ કરતાં વધુ હોવાથી, તેમનું પક્ષપલટો માન્ય ગણવામાં આવશે.

આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં JD(U)એ 38માંથી છ બેઠકો જીતી હતી. જે ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમાં જોયકિશન, એન સનાટે, મોહમ્મદ અચબ ઉદ્દીન, ભૂતપૂર્વ ડીજીપી એલએમ ખુટે અને થંજમ અરુણકુમાર છે. ખૌટે અને અરુણ કુમારે અગાઉ ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડવાની માંગ કરી હતી, પરંતુ પાર્ટી દ્વારા નામંજૂર કરવામાં આવતાં તેઓ JD(U)માં જોડાયા હતા.

વર્ષો બાદ જેડીયુએ 7 સીટો જીતી હતી

જો કે, જેડી(યુ) એ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 22 વર્ષના અંતરાલ પછી મણિપુરમાં વિધાનસભા બેઠકો જીતી હતી. પાર્ટીએ 2000ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં માત્ર એક બેઠક જીતી હતી, પરંતુ મણિપુરમાં સતત ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, JD(U) એ મણિપુરમાં ચૂંટણી લડી ન હતી. ખાસ વાત એ છે કે ધારાસભ્યોનો પાર્ટી છોડવાનો નિર્ણય એ સમાચાર પછી સામે આવ્યો છે જેમાં રાજ્યની ભાજપ સરકારથી JDUના અલગ થવાની માહિતી સામે આવી હતી.

નીતિશે બિહારમાં એનડીએ છોડી દીધું

આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીમાં ભાજપ અને જેડી(યુ) એ સાથી પક્ષ તરીકે ચૂંટણી લડી ન હતી. ચૂંટણી પરિણામો પછી, સાત JD(U) ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું. ભારતના ચૂંટણી પંચે (ECI) આ મહિનાની શરૂઆતમાં મણિપુરમાં JD(U) ને રાજ્ય પક્ષ તરીકે માન્યતા આપી હતી. અગાઉ ઓગસ્ટમાં નીતિશ કુમારે એનડીએ છોડીને આરજેડી અને અન્ય પક્ષો સાથે મહાગઠબંધનની સરકાર બનાવી હતી.

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">