કેન્દ્રીય શ્રમ મંત્રાલયે રવિવારે દેશના કરોડો કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી. EPFOઅને ESIC હેઠળ આવતા કર્મચારીઓને કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેટલીક વધારાની સુવિધા આપવામાં આવશે. આ સુવિધાઓ સામાજિક સુરક્ષા હેઠળ આપવામાં આવશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)હેઠળ આવતા કર્મચારીઓને તેમના આશ્રિતો અથવા તેમના આશ્રિતોને પણ પેન્શન આપવામાં આવશે. જો ઇ.એસ.આઈ.સી.(ESIC)માંથીજોડાયેલા કર્મચારીનું મૃત્યુ કોરોના રોગચાળાને કારણે થાય છે. તો તેના આશ્રિતને પેન્શન આપવામાં આવશે.
EPFOને એમ્પ્લોઇ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યુરન્સ સ્કીમ (EDLI)સાથે જોડવામાં આવશે
જેમાં ઇપીએફઓને એમ્પ્લોઇ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યુરન્સ સ્કીમ (EDLI)સાથે જોડવામાં આવશે. તેમજ વીમાની રાશિ 6 લાખથી વધારીને 7 લાખ કરવામાં આવી છે. આ આદેશ શ્રમ મંત્રાલયે રવિવારે જાહેર કર્યો છે. કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તે કર્મચારીઓ માટે મોટી રાહતની વાત માનવામાં આવી રહી છે.
EDLI યોજના હેઠળ વીમા લાભો વધારવામાં આવ્યા છે અને વધુ ઉદાર કરવામાં આવ્યા છે. અન્ય તમામ લાભાર્થીઓ ઉપરાંત, આ ખાસ કરીને કેવા કર્મચારીઓના પરિવારને મદદ કરાશે જેમણે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હોય.
1 મહત્તમ વીમા લાભની રકમ ₹ 6 લાખથી વધારીને ₹ 7 લાખ કરવામાં આવી છે
2 લઘુતમ વીમા લાભની ₹ 2.5 લાખની જોગવાઇ ફરી સ્થાપિત કરવામાં આવી છે
3 5 ફેબ્રુઆરી 2020ના રોજથી પાછલી અસરથી આગામી ત્રણ વર્ષ સુધી તે અમલમાં રહેશે
વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી
કોરોના રોગચાળા દરમિયાન કર્મચારીઓની ચિંતા અને ડરના વાતાવરણને ધ્યાનમાં રાખીને શ્રમ મંત્રાલયે અનેક વધારાની સુવિધાઓ જાહેર કરી છે. ન્યૂઝ એજન્સીએ શ્રમ મંત્રાલયના નિવેદનની ટાંકીને જણાવ્યું છે. આ સુવિધાઓ ESIC અને EPFO હેઠળ પૂરી પાડવામાં આવશે. કોરોનાને કારણે કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં, તેમના પરિવાર અને સભ્યોની સંભાળ લેવા આ પગલા લેવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે વધારાની સુવિધા જે પણ મળશે તે માટે કર્મચારીઓને અલગ ફાળો આપવાની જરૂર નથી.
નિયમ ફેરફાર
ઇએસઆઈસી હેઠળ કામ વીમાધારિત કર્મચારીઓ માટે, આજ સુધી પેન્શન યોજના અલગ હતી. હમણાં સુધી, આશ્રિતને તે જ પેન્શન મળે છે જ્યારે ઇએસઆઈસીનો વીમાદાર કર્મચારી (આઈપી) કામ કરતી વખતે અથવા કોઈ મોટા અકસ્માતને કારણે મૃત્યુ પામે છે. નિયમ મુજબ, જે પેન્શન દૈનિક વેતનના 90 ટકા આધારે બનાવવામાં આવે છે તે કર્મચારીની પત્ની અને વિધવા માતાને આપવામાં આવે છે. આ પેન્શન આખા જીવન માટે આપવામાં આવે છે. બાળકોને 25 વર્ષના થાય ત્યાં સુધી આ પેન્શન પણ આપવામાં આવે છે. જો કર્મચારીને પુત્રી હોય, તો તે તેના લગ્ન સુધી પેન્શન મેળવે છે. હવે આ નિયમમાં કોરોના રોગચાળાને કારણે મૃત્યુની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.
આ પણ વાંચો : Vaccination : દેશભરમાં જૂન માસમાં કોરોના વેક્સિનના 12 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે :આરોગ્ય મંત્રાલય
Published On - 5:47 pm, Sun, 30 May 21