રાજસ્થાન સરકારની મોટી જાહેરાત, રાજ્યમાં મફતમાં કરાશે Black fungus ના દર્દીઓનો ઈલાજ
દેશમાં કોરોનાની સાથે Black fungus (Mucormycosis) નું જોખમ પણ વધી રહ્યું છે. રાજસ્થાનમાં ઘાતક Black fungus ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યની અશોક ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં Black fungusની સારવાર મફતમાં કરવાની જાહેરાત કરી છે.
દેશમાં કોરોનાની સાથે Black fungus (Mucormycosis) નું જોખમ પણ વધી રહ્યું છે. રાજસ્થાનમાં ઘાતક Black fungus ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યની અશોક ગેહલોત સરકારે સમગ્ર રાજ્યમાં Black fungusની સારવાર મફતમાં કરવાની જાહેરાત કરી છે. રાજ્યના તબીબી અને આરોગ્ય પ્રધાન ડો. રઘુ શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાનમાં Black fungusના દર્દીઓની સારવાર કોવિડ મુજબ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફંગલ ઇન્ફેક્શનને ચિરંજીવી યોજનામાં પણ સમાવવામાં આવેલ છે. આરોગ્ય પ્રધાનના જણાવ્યા મુજબ, પ્રારંભિક તબક્કે આ રોગની તપાસ થાય તો જ તેની સારવાર શક્ય છે.
રાજસ્થાનમાં Black fungus ના 700 દર્દીઓ
ડો.રધુ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં Black fungus ના 700 જેટલા દર્દીઓ મળી આવ્યા છે. આરોગ્ય પ્રધાનના જણાવ્યા અનુસાર હોસ્પિટલોને સરકારના પ્રોટોકોલ મુજબ તેમની સારવાર કરવાની સૂચના આપવામાં આવી છે. બ્લેક ફંગસ ની દવાઓ અને તેના સારવાર દર ખાનગી હોસ્પિટલોમાં પણ નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં, 20 સરકારી અને ખાનગી હોસ્પિટલોને બ્લેક ફંગસ ના ઉપચાર માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે. તે જ સમયે, સરકારી નિયમો અનુસાર ધોરણોને પૂર્ણ કરનારી હોસ્પિટલો પણ સૂચિબદ્ધ થશે.
હોસ્પિટલમાં બ્લેક ફંગસ માટે અલગ વોર્ડની રચના
તમને જણાવી દઈએ કે, જયપુરની સવાઈ માનસીંગ હોસ્પિટલમાં બ્લેક ફંગસ માટે અલગ વોર્ડ બનાવીને દર્દીઓની સારવાર નિયત પ્રોટોકોલથી કરવામાં આવે છે. આ ઉપરાંત આ રોગથી પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો ડોર ટુ ડોર સર્વે માટે મોકલવામાં આવી રહી છે. ચિકિત્સા અને આરોગ્ય પ્રધાને કહ્યું કે કોરોનાની દવાઓની જેમ Black fungus ની દવાઓ પણ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં લેવામાં આવી છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર દવાઓના સપ્લાય માટે કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છે.
ભારતમાં Black Fungus ના 8848 દર્દીઓ મળી આવ્યા
હાલ ભારતમાં Black Fungus ના 8848 દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી બ્લેક ફંગસના મોટાભાગના કેસ ગુજરાતમાં જ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2281 લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે. જ્યારે તેની બાદ મહારાષ્ટ્રમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા 2000 ને વટાવી ગઈ છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 910, મધ્યપ્રદેશમાં 720, રાજસ્થાનમાં 700 અને તેલંગાણામાં 350 કેસ નોંધાયા છે. જો કે આ કેસનો ફેલાવો અન્ય રાજ્યોમાં પણ વધી રહ્યો હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે.