UP Election 2022 : કૃષિ કાયદાઓ પરત ખેંચવાનું કારણ 125 બેઠકો છે ! PMએ એક જ ફટકાથી વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો

|

Nov 20, 2021 | 10:55 AM

UP Election 2022: રાજ્યમાં સત્તા પર પાછા ફરવાના ભાજપના પ્રયાસોમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશ કૃષિ કાયદાની અસરને કારણે અવરોધરૂપ જણાતું હતું. જાટોમાં ભાજપ સામે વધી રહેલી નારાજગીનો લાભ સમાજવાદી પાર્ટી ઉઠાવશે તેવી અટકળો ચાલી રહી હતી.

UP Election 2022 : કૃષિ કાયદાઓ પરત ખેંચવાનું કારણ 125 બેઠકો છે ! PMએ એક જ ફટકાથી વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો
ફાઈલ ફોટો

Follow us on

UP Election 2022 : પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)ઓ પહેલા ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાતથી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) તેની ચૂંટણીની સંભાવનાઓને વેગ આપશે અને તેના પ્રચારને નવી ઉર્જા આપશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, કેન્દ્ર સરકાર (Central Government) ખેડૂતોના ભારે વિરોધ છતાં ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ, એગ્રીકલ્ચર (સશક્તિકરણ અને સંરક્ષણ) પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ એગ્રીકલ્ચર સર્વિસીસ એગ્રીમેન્ટ એક્ટ અને એસેન્શિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ એક્ટ, 2020 લાવી હતી.

ત્યારથી, દેશના વિવિધ ભાગોમાં, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં આ કાયદાઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને આ રાજ્યોના ખેડૂતો (Farmers) દિલ્હીની વિવિધ સરહદો પર આવી ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ખેડૂતોની નારાજગી અને લગભગ એક વર્ષથી ચાલી રહેલું આંદોલન ભાજપ (BJP) માટે મુશ્કેલીનું કારણ બની ગયું હતું.

આગામી વર્ષની શરૂઆતમાં જ્યાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections)યોજાવાની છે તે પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ભાજપ માટે સૌથી મહત્વપૂર્ણ છે. ગત ચૂંટણીમાં ભાજપે રાજ્યની 403 બેઠકોમાંથી 312 બેઠકો જીતીને રાજ્યમાં સરકાર બનાવી હતી. રાજ્યમાં સત્તા પર પાછા ફરવાના ભાજપના પ્રયાસોમાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશ કૃષિ કાયદા (Agricultural laws)ની અસરથી અવરોધરૂપ જણાતું હતું. સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે જાટોમાં ભાજપ સામે વધી રહેલા નારાજગીને ધ્યાનમાં રાખીને હાથ મિલાવ્યા હતા. આવી સ્થિતિમાં આ વિસ્તારની સ્થિતિ ભાજપ માટે ખૂબ જ પડકારજનક જણાતી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લખીમપુર ખેરીએ મુશ્કેલી વધારી હતી

આ વિસ્તારના શેરડીના ખેડૂતોમાં ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળતા રોષ પણ જોવા મળ્યો હતો. આ સાથે લખીમપુર ખેરીની ઘટનાએ ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી હતી. લખીમપુર ખેરીમાં, વાહનો દ્વારા કચડીને આઠ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાનો પુત્ર ‘ટેની’ આ કેસમાં આરોપી છે અને હાલમાં તે આ કેસમાં ધરપકડ હેઠળ છે. કૃષિ કાયદાને રદ કરવાનો નિર્ણય ફરી એકવાર પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટોને ભાજપની તરફેણમાં ફેરવી શકે છે.

ત્રણેય કાયદાઓ રદ્દ થતાં હવે ભાજપના નેતાઓને આશા જાગી છે કે, આ નિર્ણયથી તેઓ જાટ પ્રભુત્વ ધરાવતા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં તેમનો સમર્થન પાછું મેળવી શકશે. ભાજપના નેતાઓએ કહ્યું કે, આ નિર્ણય પાર્ટીના દિલ જીતવાના અધિકૃત પ્રયાસો દર્શાવે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાંથી મોટી સંખ્યામાં જાટોએ પણ કૃષિ કાયદાના વિરોધમાં ભાગ લીધો હતો. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે યુપીમાં ભલે કાયદા વિરુદ્ધનું આંદોલન સંપૂર્ણ રીતે વિસ્તરી શક્યું ન હતું, પરંતુ પશ્ચિમ અને તરાઈ ક્ષેત્રમાં ભાજપનો રસ્તો મુશ્કેલ બની ગયો હતો.

125 બેઠકો પર વાતાવરણ બગડ્યું હતું

મેરઠ, મુઝફ્ફરનગર, હાપુડ, મુરાદાબાદ, સહારનપુર, બાગપત, શામલી, પીલીભીત, લખીમપુર ખેરી જેવા જિલ્લાઓની લગભગ 125 સીટો પર વિપક્ષને ખેડૂતોના મુદ્દે સરકાર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો મોકો મળ્યો. આ જ કારણ હતું કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ પણ કિસાન પંચાયતો કરી હતી. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ પણ રાજ્યમાં કિસાન પટેલ યાત્રા કાઢી હતી. બીએસપી વડા માયાવતીએ પણ કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગનું પુનરાવર્તન કર્યું.

વિપક્ષને પણ નવી તાકાત મળી શકે છે

2014 અને 2019 લોકસભા અને 2017 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં અહીંના મતદારોએ ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. જો આમ થશે તો સામાજિક સમીકરણ સાધવા માટે જાટ, લઘુમતી અને અન્ય નાના પક્ષોને સાથે લાવવાના વિરોધ પક્ષોના પ્રયાસોને પણ ફટકો પડી શકે છે. જો કે, રાષ્ટ્રીય લોકદળના એક નેતાએ દાવો કર્યો હતો કે, કૃષિ કાયદાને રદ્દ કરવાનો નિર્ણય વિપક્ષોને હિંમત આપશે અને ભાજપ સામે એક થવાનો સંદેશ આપશે, કારણ કે આ નિર્ણયથી એવો સંદેશ પણ ગયો છે કે લોકપ્રિય વિરોધ સરકારને ઉથલાવી શકે છે.

આ પણ વાંચો : AP : આંધ્રપ્રદેશમાં પૂરને કારણે 3ના મોત અને ઘણા લાપતા, PM મોદીએ CM જગનમોહન રેડ્ડી સાથે કરી વાત

Next Article