બેથી વધુ બાળકો ધરાવનારાઓ સામે બાબા રામદેવનો ‘આક્રોશ યોગ’, તેમનું ચાલે તો છીનવી લે તમારા આ અધિકારો
આપણા દેશમાંં વસ્તી નિયંત્રણ એ એક મોટી સમસ્યા છે. ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. ભારત દેશમાં હાલ લગભગ 130કરોડ જેટલી વસ્તી છે. આજ વાત પર યોગગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે બેથી વધુ બાળકો ધરાવતા લોકો પર ટિપ્પણી કરી છે જે હાલ ચર્ચામાં છે. પતંજલિ કપડાંના શો-રૂમના ઉદ્ઘાટન […]

આપણા દેશમાંં વસ્તી નિયંત્રણ એ એક મોટી સમસ્યા છે. ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. ભારત દેશમાં હાલ લગભગ 130કરોડ જેટલી વસ્તી છે. આજ વાત પર યોગગુરૂ બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે બેથી વધુ બાળકો ધરાવતા લોકો પર ટિપ્પણી કરી છે જે હાલ ચર્ચામાં છે.
પતંજલિ કપડાંના શો-રૂમના ઉદ્ઘાટન સમયે બાબા રામદેવે વસ્તી નિયંત્રણના મુદ્દે બોલતા કહ્યું,
બેથી વધારે બાળકો પેદા કરવાવાળાને મતદાર તરીકેનો અધિકાર ના આપવો જોઈએ અને તે લોકોને ચૂંટણી લડવાની પણ પરવાનગી ન આપવી જોઈએ. 2 થી વધુ બાળકો ધરાવતા લોકોને સરકારી નોકરીઓ પણ ના મળવી જોઈએ.
યોગગુરૂએ વધુમાં કહ્યું કે આઝાદીના 70વર્ષો પછી પણ આપણે રાજનૈતિક આઝાદી મેળવી પણ આર્થિક આઝાદી મેળવવાવની હજી બાકી છે.
વસ્તી નિયંત્રણના મુદ્દા પર બોલતા રામદેવે કહ્યું કે કોઈ બેથી વધારે બાળક પેદા કરે તો તેમને સરકારી લાભોથી વંચિત રાખવાની સાથે મતદાન કરવાનો પણ અધિકાર ના આપવો જોઈએ તથા એ લોકોને સરકારી સ્કૂલ, હોસ્પિટલનો પણ ઉપયોગ ના કરવા દેવો જોઈએ.
બાબા રામદેવ પ્રિયંકા ગાંધીને ક્રોંગ્રેસ મહાસચિવ બનાવવા પર પણ બોલ્યા. તેમણે કહ્યું,
રાજકારણના અખાડાના જંગમાં પહેલવાન મજબૂત હોવો જોઈએ તો જ હાર કે જીતમાં મજા આવે.
તે ઉપરાંત, તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં વૈદિક શિક્ષણ પધ્ધતિના ફેલાવા માટે વડાપ્રધાન નરેન્દ્વ મોદી અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથે વાત કરી છે. તેના પર ટૂંક સમયમાં નિણર્ય લેવાય તેવી આશા વ્યક્ત કરી હતી.
[yop_poll id=775]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]